પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારે કહ્યું કે, પાકિસ્તાન અને ભારત વચ્ચે જલ્દી જ ક્રિકેટ સિરીઝ શરૂ થવાની સંભાવના છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની શક્યતા
ICC દુબઇની મિટીંગમાં લઇ શકે છે નિર્ણય
8 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન સાથે?
મુંબઇ 2008ના આતંકી હુમલા બાદથી ભારતે પાકિસ્તાન સાથે મૅચ રમી નથી. બંને દેશો વચ્ચે રાજનૈતિક તણાવને કારણકે કોઇ સિરીઝ રમવામાં આવી નથી. બંને દેશો વચ્ચે સંબંધો ખુબ તણાવયુક્ત થઇ ગયુ છે.
2013 બાદ બંને એશિયાઇ ક્રિકેટ દિગ્ગજોએ કોઇ દ્વિપક્ષીય સિરીઝ રમી નથી. સાથે જ બંનેએ 2007-08 સિઝન બાદ ટેસ્ટ સિરીઝમાં પણ કોઇ સામનો કર્યો નથી.
ICCની બેઠક આ જ મહિને દુબઇમાં થવાની છે. જ્યાં ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાના નિર્ણયની ઘોષણા કરશે. સાથે જ ભારતીય બોર્ડ આગામી ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ખેલાડીઓ, દર્શકો અને પત્રકારો માટે વિઝા અને સુરક્ષા વ્યવસ્થા વિષે ICCને સૂચિત કરશે. ટી-20 વર્લ્ડ કપઆ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં આયોજીત થશે.
PCBના મિડીયા મેનેજર શકીલ ખાને કહ્યું કે, બંને પક્ષના પ્રતિનિધિમંડળ ICCની બેઠકમાં હિસ્સો લેશે અને નિશ્ચિતરૂપે સફળતાની આશા છે. અમે હંમેશા ભારત સાથે દ્વિપક્ષીય મૅચ રમવા માટે તૈયાર છીએ પરંતુ ભારતીય પક્ષે હંમેશા બાધા પેદા કરે છે.
ખાને કહ્યું કે પાકિસ્તાની ટીમ પહેલા જ ભારતમાં બે વાર રમી ચૂકી છે માટે આ વખતે ભારતીય ટીમની મૅચમાં પાકિસ્તાન આવવુ પડશે. આ સંપૂર્ણ રીતે ભારતીય પક્ષ પર નિર્ભર કરે છે.