દિલ્હી: ભારત અને પાકિસ્તાનના સંબંધમાં તણાવની સ્થિતિ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન એટલે કે SAARCની મીટિંગમાં પણ જોવા મળી.
આ મીટિંગ દરમિયાન ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશી વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નહીં. તો ભારતે પાકિસ્તાનને અવગણતા કુરૈશી ભડક્યા અને પોતાની નારાજગી વ્યક્ત કરી.
અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજીત SAARC મીટિંગમાં ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સંબોધન આપ્યુ અને બાદમાં તરત પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીનું સંબોધન હતું પરંતુ સષમા સ્વરાજ સંબોધન આપ્યા બાદ પોતાના આગામી કાર્યક્રમ માટે નીકળી ગયા. જેનાથી મહમૂદ કુરૈશી ભડકી ઉઠ્યા અને ભારત પર અનેક ખોટા આક્ષેપ કર્યા.
ઉલ્લેખનીય છે કે કુરૈશીએ ભારત અને સુષમા સ્વરાજનું નામ લીધા જણાવ્યું કે જો આપણે આ ફોરમમાં કઈ કરવા માગતા હોઈએ તો આગળ વધવું જોઈએ. પરંતુ મને આ કહેતા કોઈ વાંધો નથી કે સાર્કની પ્રગતિમાં એક દેશ બાધા ઉભી કરી રહ્યું છે.
આ સાથે વધુમાં જણાવેલ કે અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. કદાચ તેમની તબિયત ખરાબ હોવાથી તેઓ ચાલી નીકળ્યા. તેઓએ ક્ષેત્રીય સહયોગની વાત કરી. પરંતુ આ ક્ષેત્રીય સહયોગ કેવી રીતે સંભવ છે જ્યારે દરેક એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય અને તેને કોઈ બ્લોક કરી દે.