ભારત અને પાકિસ્તાનના એકબીજાનીન જેલમાં બંધ રહેલા બંને દેશના નાગરિકો અને માછીમારોની લિસ્ટ એકબીજાને સોંપવામાં આવ્યા છે.
આપણા દેશની જેલમાં બંધ 271 પાકિસ્તાની નાગરિક અને 74 માછીમારો
પાકિસ્તાનની જેલમાં આપણા 51 નાગરિકો અને 558 માછીમારો
2008માં બંને દેશો વચ્ચે એક કરાર થયો
આપણા દેશની જેલમાં બંધ 271 પાકિસ્તાની નાગરિક અને 74 માછીમારો
ભારત અને પાકિસ્તાનના એકબીજાનીન જેલમાં બંધ રહેલા બંને દેશના નાગરિકો અને માછીમારોની લિસ્ટ એકબીજાને સોંપવામાં આવ્યા છે. ભારતે આપણા દેશની જેલમાં બંધ 271 પાકિસ્તાની નાગરિક અને 74 માછીમારોની લિસ્ટ પાકિસ્તાનને મોકલ્યું હતું, જ્યારે પાકિસ્તાનની જેલમાં બંધ 51 નાગરિકો અને 558 માછીમારોનું લિસ્ટ ભારતને આપવામાં આવ્યું.
પાકિસ્તાનની જેલમાં આપણા 51 નાગરિકો અને 558 માછીમારો
બંને દેશો વચ્ચે નક્કી થયેલ કરાર મુજબ 2008માં બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો. આ નક્કી થયેલા કરાર મુજબ બંને દેશોની જેલોમાં કેદ નાગરિકોનું લિસ્ટ વર્ષમાં પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈએ આપવાના હોય છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના કેદ નાગરિકોનું લિસ્ટ આપીને ભારતના સૈનિકો, માછીમારો અને સામન્ય લોકોને જલ્દીથી જલ્દી છોડવાની અપીલ કરી છે.
2008માં બંને દેશો વચ્ચે એક કરાર થયો
ભારતે પાકિસ્તાનમાં બંધ એક નાગરિક અને 295 માછીમારોની ઓળખ કરી તે ભારતીય હોવાની પુષ્ટિ કરી હતી. સાથે જ 17 ભારતીય નાગરિકો અને 194 માછીમારો, જે પાકિસ્તાનની જેલમાં બંધ છે, તેમની ઓળખ અને પુષ્ટિ કરીને જલ્દીથી ટે લોકોને છોડવા માટે કહ્યું હતું. બીજી બાજુ પાકિસ્તાન તરફથી 78 લોકોને ઓળખી ગયાની ખરાઈ કરવામાં આવી હતી. ભારતે આપણા દેશમાં બંધ 271 પાકિસ્તાની નાગરિક અને 74 માછીમારોની લિસ્ટ પાકિસ્તાનને મોકલ્યું હતું.