અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરાવવા તૈયારી બતાવી છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશ વચ્ચે આ મુદ્દાનો ઉકેલ લાવવા હું બધુ કરીશ, જે હું કરી શકુ છું.
કશ્મીરમાં મધ્યસ્થી મામલે ભારતનું સ્ટેન્ડ ક્લીયરઃ ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે કશ્મીર મધ્યસ્થીની અનેકવાર કરી છે ઓફર
ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મદદ માટે તૈયાર છું તેમ જણાવ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરી અને આ મુ્દદાનો ઉકેલ લાવવા અંગે જણાવ્યું. કાશ્મીર મામલે હું જે મદદ કરી શકુ છું તે અંગે ચર્ચા કરી. કાશ્મીર મામલે ટ્રમ્પે કહ્યું કે બંને દેશ માટે જે પણ હું કરી શકુ છું, તે હું કરીશ.
ભારત-પાકિસ્તાનના નેતાઓ સાથે કરી મુલાકાત
યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યા બાદ કહ્યું કે મજબૂત સંબંધ બનાવા તેમજ નિષ્પક્ષ દ્વિપક્ષીય વેપાર પર પાકિસ્તાન અને ભારતના નેતાઓ સાથે તેમની સફળ વાતચીત રહી.
US President Donald Trump: With respect to Pakistan and India, we talked about Kashmir. I offered whether it is arbitration or mediation, or whatever it has to be I'll do whatever I can because they are at very serious odds right now and hopefully that will get better. pic.twitter.com/0JsT9PkOoF
ટ્રમ્પે કર્યું હતું કાશ્મીર મધ્યસ્થતાવાળુ ટ્વિટ ડિલિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા એ ટવિટ ડિલિટ કરી નાંખ્યું હતું જેમાં તેમણે કાશ્મીર મધ્યસ્થતાને લઇને નિવેદન આપ્યું હતું. ભારત શરૂઆતથી જ કહેતું રહ્યું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.
Raveesh Kumar, MEA: Discussion between Prime Minister and US President Donald Trump regarding J&K, yesterday, was in the context of counter-terrorism. Our position on how the matter has to be addressed has been answered in the past and there is no change in that position. https://t.co/tmVljMaAqapic.twitter.com/9oqqwa7kjv
ભારતે કહ્યું - અમારી સ્થિતિમાં કોઇ ફેરફાર નહીં
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્રમ્પની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે અમારી સ્થિતિ સ્પષ્ટ છે, આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવી દેવામાં આવ્યું છે, તે સ્થિતિ જ રહેશે. રવીશ કુમારે જણાવ્યું કે જમ્મૂ-કાશ્મીર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આતંકવાદ મુદ્દે ચર્ચા થઇ.