બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એર સાયરન વાગતા જ કલેક્ટરે કર્યા એલર્ટ, કહ્યું 'નાગરિકો સુરક્ષિત સ્થળ પર રહે'
Last Updated: 05:02 PM, 10 May 2025
ADVERTISEMENT
જામનગર જિલ્લામાં તણાવની સ્થિતિને લઈ એલર્ટ જાહેર કરાયું છે. એરફોર્સ દ્વારા વોર્નિગ અપાયા બાદ સાયરન વગાડવામાં આવી હતી.લોકોને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવા અપીલ કરાઇ છે.. વેપારીઓને પણ તેમના ધંધા-રોજગાર આજનો દિવસ બંધ રાખવા માટે અપીલ કરાઇ છે. જાહેર સ્થળોએ ન ફરવા તેમજ આશ્રય ન લેવાની સલાહ અપાઇ છે. વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જામનગર ટાઉન હોલ વિસ્તારમાં બપોરે સવા બે વાગ્યાનું વોર્નિંગ સાયરન વગાડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
જામનગર જિલ્લા કલેક્ટરે કહ્યુ હતું કે કોઇપણ ગભરાવવાની સહેજપણ જરૂર નથી, વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે લોકો અફવાઓથી દોરવાય નહીં, અને સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવે તેનું પાલન કરે.
આ પણ વાંચી લેજોઃ ઓપરેશન સિંદૂર વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, ઉમેદવારો ખાસ વાંચી લેજો
મહત્વનું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની હાલની તણાવભરી સ્થિતિ વચ્ચે સરકારે જામનગરમાં રિલાયન્સની ઓઇલ રિફાઇનરીને હાઇ એલર્ટ પર રાખી છે. રિલાયન્સની ઓઇલ રિફાઇનરીની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.