ભારતમાં કોરોના વેક્સિનેશની સંખ્યા 32 કરોડને પાર થઈ ગઈ છે. ગત રવિવારે દેશમાં 17,21,268 વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ હવે વેક્સિનેશની કુલ સંખ્યા વધીને 32 કરોડ, 36 લાખ 63 હજાર 297 થઈ ગઈ છે. એક રીપોર્ટ મુજબ બ્રિટન, અમેરિકા, ઇટલી, જર્મની, ફ્રાંસ અને ભારતમાં રસીકરણ ઝડપથી થઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે ભારતમાં રસીકરણ આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું છે. જ્યારે 8 ડિસેમ્બરે બ્રિટનમાં, 14 ડિસેમ્બરના રોજ અમેરિકા, ઇટાલી. જ્યારે જર્મની અને ફ્રાન્સમાં 27 ડિસેમ્બરે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં કેટલું વેક્સિનેશન કરવામાં આવ્યું છે?
ગ્લોબલ વેક્સીન ટ્રેકરના રીપોર્ટ અનુસાર સોમવાર 28 જૂન સવારે 8 વાગ્યા સુધી બ્રિટનમાં 7 કરોડ, અમેરિકામાં 67 લાખ 74 હજાર 990, ઇટાલીમાં 32 કરોડ, 33 લાખ, 27 હજાર 328, 4 કરોડ 96 લાખ 50 હજાર 721, જર્મની 7 કરોડ 14 લાખ 37 હજાર 514 અને ફ્રાન્સમાં 5 કરોડ 24 લાખ 57 હજાર 288 વેક્સિન આપવામાં આવી છે. જો કે ભારતમાં વેક્સિનેશનની સંખ્યા 32 કરોડ, 36 લાખ 63 હજાર 297 છે. તમને જણાવી દઈએ કે ભારતમાં વેક્સિનેશન માટે ઓનલાઈન અને ઓનસાઇટ રજિસ્ટ્રેશનની સિસ્ટમ છે. વેક્સિન લેતા ઈચ્છતા નાગરિકો કોવિન પોર્ટલ, આરોગ્ય સેતુ અને ઉમંગ એપ દ્વારા વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ સાથે રસીકરણ કેન્દ્રમાં નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. દેશમાં રસીકરણના ત્રીજા તબક્કા માટે કોવિન પ્લેટફોર્મ પર નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ હતી.
PM મોદીની અપીલ- અફવાઓનો શિકાર ન બનો
27 જૂને ભારતમાં વેક્સિનેશન અભિયાનના 163માં દિવસે 13.9 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 3.3 લાખ લોકોને બીજી ડોઝ આપવામાં આવ્યો હતો. આ વર્ષે 1 એપ્રિલથી દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 મેથી 18-44 વર્ષની વય જૂથના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં લોકોને કોવિડ વેક્સિન અને તેનાથી સંબંધિત અફવાઓ અંગે લોકોના મનમાં ઉઠતા પ્રશ્નો દૂર કરવા સલાહ આપી હતી. સલાહ આપતા વડાપ્રધાન મોદીએ રવિવારે દેશવાસીઓને ચેતવણી આપી હતી કે આ વૈશ્વિક મહામારી સમાપ્ત થઈ ગઈ છે તે સમજવાની ભૂલ ન કરો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના વાયરસ તેના સ્વરૂપમાં પરિવર્તન લાવે છે. તેથી તેને રોકવાનો એકમાત્ર ઉપાય એ છે કે કોરોના વાયરસથી સંબંધિત તમામ પ્રોટોકોલોનું પાલન કરવું અને વેક્સિન લેવી.