ભારતે કોરોના વેક્સીનના એક ડોઝ લગાવવાના કેસમાં મોટી ઉપલબ્ધિ મેળવી છે. આ કેસમાં ભારતે હવે અમેરિકાને પણ પાછળ છોડ્યું છે.
ભારતમાં રસીકરણે મેળવી સફળતા
અમેરિકાને પાછળ છોડી પહેલા ક્રમે પહોંચ્યું
કેન્દ્ર સરકારે વેક્સીનેશનના પહેલા ડોઝને લઈને મેળવી સફળતા
ભારતે કોરોન વેક્સીનનો પહેલો ડોઝ લઈ ચૂકેલા લોકોની સંખ્યા મામલે અમેરિકાને પાછળ છોડી દીધું છે. આ દાવો શુક્રવારે કેન્દ્ર સરકારે કર્યો છે.
વેક્સીનેશનમાં અમેરિકાને છોડ્યું પાછળ
કેન્દ્ર સરકારે કહ્યું કે આવનારા દિવસોમાં વેક્સીનેશન અભિયાનમાં વધારો કરાશે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે દેશમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોની 43 ટકા વસ્તીને કોરોનાની વેક્સિન અપાઇ છે. આ સાથે 45 વર્ષથી ઉપરના લગભગ 37 ટકા લોકોનું રસીકરણ શક્ય બન્યું છે. તેઓએ કહ્યું કે ભારતમાં કોરોના વેક્સિનનો એક ડોઝ લગાવનારાની સંખ્યા 17.2 કરોડની થઈ છે જ્યારે અમેરિકામાં આ સંખ્યા 16.9 કરોડની થઈ છે.
पिछले 24 घंटे में कोरोना के 1,32,000 के करीब मामले आए हैं। पिछले 8 दिनों से कोरोना मामले 2 लाख से भी कम आ रहे हैं। मामलों में 68% की कमी आई है। 66% मामले 5 राज्यों से आ रहे हैं। 33% मामले 31 राज्यों से आ रहे हैं: स्वास्थ्य मंत्रालय के संयुक्त सचिव लव अग्रवाल pic.twitter.com/AlqoQbGj1C
વેક્સિનનો એક ડોઝ આપવામાં ભારત અમેરિકાથી આગળઃ નીતિ આયોગ
વીકે પોલનું કહેવું છે કે આપણે કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં અમેરિકાને પાછળ છોડી દીધું છે. આ સાથે એમ માની શકાય છે આપણે વેક્સિન અભિયાનમાં સુધારો કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં તેને વધારે ઝડપી બનાવીશું.
अब तक 22.41 करोड़ वैक्सीन की डोज़ दी जा चुकी हैं। जिसमें मुख्य रूप से स्वास्थ्यकर्मी, फ्रंट लाइन वर्कर्स और 45 साल से ज्यादा उम्र के लोग शामिल हैं। 18-45 आयु वर्ग के 2.43 करोड़ लोगों को वैक्सीन की डोज़ दी गई हैं: स्वास्थ्य मंत्रालय के संयुक्त सचिव लव अग्रवाल pic.twitter.com/tCGyctWmhb
કેસ ઘટી રહ્યા હોવા છતાં સતર્ક રહેવાની જરૂર
પોલે કહ્યું કે કોરોનાની બીજી લહેર વૈશ્વિક આંકડાની સરખામણીએ ઘટી છે. ભારતમાં 10 લાખની વસ્તી પર કોરોનાના 20519 કેસ છે. વિશ્વની સરેરાશ હજુ પણ તે 22181થી વધારે છે. કોરોનાને રોકવા વેક્સિનના કામમાં ઢીલાશ રખાશે તો કેસ ફરી એક વાર વધી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. 7મેના રોજ સંક્રમણ સૌથી વધારે હતું પરંતુ હવે કેસમાં લગભગ 68 ટકાનો ઘટાડો આવ્યો છે.
દર્દીની સંખ્યામાં થયો 21 લાખનો ઘટાડો
લવ અગ્રવાલે એમ પણ કહ્યું કે 10મેના રોજ કોરોનાના દર્દીની સંખ્યા પીક પર હતી. હવે તેમાં ઘટાડો થયો છે. દેશના 377 જિલ્લામાં કોરોના સંક્રમણ 5 ટકાથી પણ ઓછું છે.