ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ 2023 પર સંકટના વાદળ છવાયા છે. બીસીસીઆઈ અને આઈસીસીની વચ્ચે ટેક્સ વિવાદના કારણે સ્થિતિ બગડી રહી છે અને જો કોઈ ઉકેલ નહીં આવે તો ભારતમાંથી વર્લ્ડ કપની મેજબાની પણ જઇ શકે છે.
વનડે વર્લ્ડ કપ 2023 પર સંકટના વાદળ છવાયા
BCCI અને ICCની વચ્ચે ટેક્સ વિવાદના કારણે સ્થિતિ બગડશે?
વર્લ્ડ કપના આયોજન માટે ભારત સરકાર ટેક્સમાં છૂટની વ્યવસ્થા કરે
વનડે વર્લ્ડ કપ 2023ની મેજબાની ભારતમાંથી જઇ શકે !
મીડિયા રિપોર્ટસ મુજબ, આઈસીસી દ્વારા બીસીસીઆઈને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વન-ડે વર્લ્ડ કપ 2023ના આયોજન માટે ભારત સરકાર પાસેથી ટેક્સમાં છૂટની વ્યવસ્થા કરે. જો કે, આમ થવુ મુશ્કેલ છે, કારણકે ભારત સરકાર કોઈ પણ પ્રકારની ઈવેન્ટમાં આ પ્રકારનુ ડિસ્કાઉન્ટ આપતી નથી. વર્ષ 2016માં જ્યારે ભારતે ટી-20 વર્લ્ડ કપ હોસ્ટ કર્યો હતો ત્યારે પણ આઈસીસી અને બીસીસીઆઈની વચ્ચે આ વિવાદ આવ્યો હતો. તે વખતે બીસીસીઆઈ ભારત સરકાર તરફથી આ છૂટ અપાવી શકી નહોતી. અંતમાં બીસીસીઆઈએ આઈસીસીને તેના શેરના 190 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા.
સ્થિતિ ફરીથી ઉત્પન્ન થઈ
તો સ્થિતિ ફરીથી ઉત્પન્ન થઇ છે, આઈસીસીની પૉલિસી મુજબ આઈસીસી ઈવેન્ટ હોસ્ટ કરનારા દેશને પોતાની સરકારની સાથે સમન્વય બેસાડીને ટેક્સમાં છૂટછાટની વ્યવસ્થા કરવી પડે છે. 2023 વન-ડે વર્લ્ડ કપ માટે જો બીસીસીઆઈ આવુ ના કરે તો બીસીસીઆઈએ આઈસીસીને તેના શેરના 900 કરોડ રૂપિયા આપવા પડશે.