ભારતની એક એવી નદી જેના પાણીમાં ખરેખર વહે છે સોનું, આ નદી થકી જ અનેક આદિવાસી વિસ્તારોનો થાય છે ગુજારો
ભારતની નદીઓમાં સોનું
સુવર્ણરેખા નામની નદીમાં સોનું હોવાનો દાવો
આજીવિકાનું સાધન બની છે સુવર્ણરેખા નદી
મેરે દેશકી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી.. આ ગીતના શબ્દો ખરા અર્થમાં સાચા છે. જી હા, આપણા દેશ વિશે ઘણી એવી વાતો છે જે આપણે જાણતા નથી. ત્યારે તમને જણાવીએ કે શું ખરેખર ભારતમાં સોનું આપતી નદીઓ વહે છે ?હુ ઓછા લોકો જાણતા હશે કે દેશમાં એક એવી નદી છે જે પોતાની સાથે સોનું લાવવાનો દાવો કરે છે. એટલું જ નહીં, જ્યારે આ નદી કિનારે સોનું તાણીલાવે છે ત્યારે લોકો તેને બહાર કાઢી લે છે. ઘણા પરિવારો માટે આ નદી આજીવિકાનું સાધન પણ છે. અત્યારે આ નદી વિશે જાણીએ.
સુવર્ણ રેખા લાવે છે સોનું
સોનું આપતી આ નદીનું નામ છે સ્વર્ણરેખા. તે ભારતના ઝારખંડ રાજ્યમાંથી વહે છે. આ ઉપરાંત સ્વર્ણરેખા નદી પણ સેંકડો વર્ષોથી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિવિધ ભાગોમાં વહે છે. તેના નામ પાછળનું કારણ પણ રસપ્રદ છે. લોકોનું માનવું છે કે આ નદી પોતાની સાથે સોનું લાવે છે, તેથી તેને સ્વર્ણરેખા નામ આપવામાં આવ્યું છે. તેને સોનાની નદી પણ કહેવામાં આવે છે.
સુવર્ણ રેખા બંગાળની ખાડીમાં વહે છે
ઘણા અહેવાલોમાં આ નદીનું મૂળ રાંચીની નજીક હોવાનું કહેવામાં આવ્યું છે. સુવર્ણરેખા નદી રાંચીથી લગભગ સોળ કિલોમીટર દૂર નગડી સ્થિત રાનીચુઆન જગ્યાથી નીકળીને લગભગ 474 કિલોમીટરનું અંતર કાપે છે. આ સમય દરમિયાન ઉદગમ સ્થાનમાંથી નીકળીને આ નદી બીજી નદીઓમાં જઇને ભળે છે. જ્યારે ડઝન કરતા પણ વધારે નદીઓ સુવર્ણરેખામાં આવીને ભળે છે. ત્યારબાદ આ નદી સીધી બંગાળની ખાડીમાં જઇને ભળે છે.
શું ખરેખર નદીમાંથી નીકળે છે સોનું ?
જી હા, આ વાત સાચી છે કે આ નદીમાંથી સોનું નીકળે છે, પરંતુ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે કે સુવર્ણરેખામાં સોનું ક્યાંથી નીકળે છે. પરંતુ સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ અને નિષ્ણાતોના દાવા મુજબ, નદીના વહેણના ઘણા વિસ્તારોમાં કદાચ કેટલીક સોનાની ખાણો છે અને તે ખાણોમાંથી સુવર્ણરેખા પસાર થાય છે. તેથી આ ઘર્ષણને કારણે સોનાના કણો તેમાં ભળી જાય છે જે આગળ જઇને નદીના તટ પર જોવા મળે છે.
સુવર્ણરેખા અનેક પરિવારો આશીર્વાદ સમાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નદીની નજીક રહેતા લોકોનું કહેવું છે કે તેઓ તેની રેતીમાંથી સોનાના કણો એકઠા કરે છે અને નદીની રેતીમાંથી નીકળતા સોનાના કણો ઘઉંના દાણા જેટલા હોય છે. જો કે તે ઘણી ઓછી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ ઘણી વખત એવું બન્યું છે કે ઘણી મહેનત પછી સોનાના કણો મળી આવે છે.
હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઇ નથી
આ બધું હોવા છતાં પણ આ નદી સોનું કેવી રીતે અને ક્યારે લાવે છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. જો કે, તમામ અહેવાલોમાં એવું લખવામાં આવ્યું છે કે સુવર્ણરેખા સેંકડો પરિવારોનું ગુજરાન ચલાવે છે.ઝારખંડના સ્થાનિક આદિવાસીઓ સવારે આ નદી પર જાય છે. તામર અને સરંડા જેવા વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ આ કામમાં વ્યસ્ત રહે છે.