રશિયા દ્વારા પૂર્વી યુક્રેનના બે ક્ષેત્રો ડોનેત્સ્ક તથા લુહાંસ્કને સ્વતંત્ર દેશની માન્યતા આપવાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક થઈ. આ બેઠકમાં ભારત તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી.
રશિયા યુક્રેન વચ્ચે તણાવ વધ્યો
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક
ભારતે આપી આ પ્રતિક્રિયાઓ
રશિયા દ્વારા પૂર્વી યુક્રેનના બે ક્ષેત્રો ડોનેત્સ્ક તથા લુહાંસ્કને સ્વતંત્ર દેશની માન્યતા આપવાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક થઈ. આ બેઠકમાં ભારત તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી. UNSC માં ભારતના સ્થાયી સભ્ય ટીએસ તિરૂમૂર્તિએ યુક્રેન મુદ્દા પર ભારત તરફથી નિવેદન આપ્યું છે. તિરૂમૂર્તિએ તમામ દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે અને ભારતીય નાગરિકોની સલામતી માટે દરેક સંભવ પ્રયાસ કરવાની ખાતરી પણ આપી છે.
જોઈ લો શું કહ્યું ભારતે
રશિયા યુક્રેન સંકટ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠકમાં ભારતે કહ્યું કે, રશિયા સાથે યુક્રેન સરહદ પર વધી રહેલા તણાવની ઉંડી ચિંતાનો વિષય છે. આ ઘટનાક્રમથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાને નબળી પાડવાની કોશિશ થઈ રહી છે. અમે તમામ પક્ષોને સંયમ રાખવાનું આહ્વાન કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે, આ મુદ્દા પર ફક્ત રાજદ્વારી વાતચીતના માધ્યમથી હલ કરી શકાય છે. નાગરિકોની સુરક્ષા જરૂરી છે. 20,000થી વધારે ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના અલગ અલગ ભાગમાં સરહદી વિસ્તારમાં અભ્યાસ કરે છએ. ભારતીયોની સલામતી એ અમારી પ્રાથમિકતા છે.
યુક્રેન રવાના થઈ એર ઈંડિયાની ફ્લાઈટ
રશિયા યુક્રેન સંકટ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે પ્રયાસ શરૂ થઈ ગયા છે. મંગળવારે સવારે એર ઈંડિયાનું વિશેષ વિમાન યુક્રેન રવાના થઈ ગયું છએ. ભારત તરફથી 200થી વધઆરે સીટોવાળું ડ્રીમલાઈનર બી 787 વિમાન ખાસ અભિયાનમાં તૈનાત કરી દેવામાં આવ્યું છે.
અમેરિકાએ પણ આપી પ્રતિક્રિયા
UNSCની બેઠકમાં અમેરિકાએ કહ્યું કે, યુક્રેનની ક્ષેત્રિય અખંડતા અને સંપ્રભુતા પર રશિયાનો હુમલો અકારઓણ છે. આ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય રાજ્યના રૂપમાં યુક્રેનની સ્થિત પર હુમલો છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાના માળખાગત સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. અમેરિકાએ કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું આ પહલું સ્પષ્ટ રીતથી યુક્રેનની આગળ આક્રમણનું બહાનું બનાવીને રશિયાના પ્રયાસનો આધાર છે.