નવી દિલ્હીઃ સમુદ્રમાં પોતાની પહેલી પેટ્રોલિંગ બાદ સોમવારે એટમી હથિયારથી સજ્જ સબમરીન આઇએનએસ અરિહંત સ્વદેશ પરત આવ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ અરિહંતની ટીમનું સ્વાગત કર્યું અને આ સબમરીને દુશ્મનો માટે પડકાર બતાવી. આ સાથે જ ભારતીય સેના હવે જમીન સમુદ્ર અને હવામાં એટીમી હુમલાઓનો જવાબ આપવાની ક્ષમતાથી સજ્જ થઇ ગઇ છે.
પીએમ મોદીએ અરિહંતની ટીમને સંબોધિત કરતા કહ્યું કે તમારૂ આ અભિયાન સુરક્ષા અને સંરક્ષા માટે તપ છે. અરિહંતનો અર્થ છે દુશ્મનોનો ખાતમો કરવો. આ દેશની સુરક્ષા માટે આવિશ્કાર છે. એક મોટો નિર્ણય છે.
WATCH: Prime Minister Narendra Modi addresses the crew of INS Arihant which returned from its first deterrence patr… https://t.co/z7wx4rLWnA
પીએમએ વધુ કહ્યું અરિહંત ભારતના દુશ્મનો માટે ખુલ્લી ચેતાવણી છે કે ભારત વિરૂદ્ધ કોઇ દુસ્સાહસ નહીં કરે. આખુ ભારત આપનું(અરિહંત) કૃતજ્ઞ છે. આજની આ સફળતા છે જેને ભારતે પોતાના બળે મેળવી છે. તેમણે કહ્યું કે ભારત એક શાંતિપૂર્ણ દેશ છે. આ આપણી કમજોરી નથી. આ અમારી શક્તિ છે. ભારત કોઇને છોડતુ નથી પરંતુ કોઇ છેડે તો એને છોડતુ નથી.
આઇએનએસ અરિહંતની સેનામાં સામેલ થવાથી ભારત હવે ટ્રીપલ એટોમી હુમલાનો મારક જવાબ આપી શકે છે. જમીન પર અગ્નિ મિસાઇલ હવામાં લડાકૂ વિમાન અને પાણીમાં અરિહંતના માધ્યમથી ભારત એટોમી હુમલાઓનો જવાબ સરળતાથી આપી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે આઇએનએસ અરિહંતના કારણે ન્યૂક્લિયર ટ્રાયડ મેળતા ભારત એલિટ દેશોની સાથે ઉભો થઇ ગયો છે.