ચીનની સોડમાં આવીને સતત ભારત સામે માથું ઊંચકી રહેલા નેપાળ સાથે આજે બેઠક કરવામાં આવી હતી. ભારત અને નેપાળ વચ્ચે કરવામાં આવેલ આ બેઠકમાં કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સતત ભારત વિરોધી નિર્ણયો અને નિવેદનો આપતા નેપાળી વડાપ્રધાને 15મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીને ફોન કર્યો હતો.
નેપાળ અને ભારતના અધિકારીઓ વચ્ચે બેઠક પૂર્ણ
ભારત દ્વારા નેપાળમાં કરવામાં આવતા વિકાસ સંબંધી કાર્યોની સમીક્ષા
છેલ્લા કેટલાક સમયથી નેપાળ અને ભારતના સંબંધોમાં આવી હતી તિરાડ
વિકાસ સંબંધી કાર્યો પર ચર્ચા
ભારત અને નેપાળના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કરવામાં આવેલ ડિજીટલ બેઠકમાં ભારતની મદદથી નેપાળમાં ચાલી રહેલા વિવિધ વિકાસ સંબંધી કાર્યો પર સમીક્ષા કરવામાં આવી છે.નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ હાલમાં ભારતના વડાપ્રધાન મોદીને ફોન કરીને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. નેપાળમાં મે મહિનામાં નવો નકશો જાહેર કર્યા બાદથી જ ભારત અને નેપાળના સંબંધોમાં તિરાડ આવી હતી, જે બાદ હવે બંને દેશ વચ્ચે પહેલીવાર વાતચીત થઇ છે.
India and Nepal held the 8th meeting of the Oversight Mechanism (OSM) through digital video Conferencing today. The meeting carried out a comprehensive review of bilateral economic and development cooperation projects: Embassy of India, Kathmandu #Nepalpic.twitter.com/VOY5eWF7jd
ભારતે રોડનું ઉદ્ઘાટન કર્યું અને નેપાળના પેટમાં તેલ રેડાયું
નોંધનીય છે કે આ બેઠકમાં કરવામાં આવેલ વાતચીતની વધુ જાણકારી આપવામાં આવી નથી પરંતુ સૂત્રો દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર આ બેઠકમાં ભારતની મદદથી ચાલી રહેલ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. નોંધનીય છે કે થોડા સમય પહેલા આઠમી મેએ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ધારચુલાને લિપુલેખથી જોડતા 80 કિમી લાંબા રોડનું ઉદ્ઘાટન કર્યું હતું જે બાદ નેપાળે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ ભારત અને નેપાળ વચ્ચે તણાવ સતત વધતો ગયો.
સતત વધ્યો ભારત-નેપાળ વિવાદ
નેપાળ દ્વારા સતત એવા નિર્ણયો લેવામાં આવ્યા જે બાદ ભારત સાથે તણાવ વધતો ગયો. ચીનમાં સોડમાં આવીને નેપાળે તો ભારતના વિસ્તારો પર દાવો કરતો નવો નકશો જાહેર કરી દીધો. નેપાળના વડાપ્રધાને તો અયોધ્યા પર જ દાવો ઠોકી દીધો કે અસલી અયોધ્યા તો નેપાળમાં છે. ભારતે નેપાળના નવા નકશાનો ખૂબ વિરોધ પણ કર્યો હતો.