ભારતીય સૈન્ય લાંબા સમયથી પશ્ચિમ સરહદ એટલે કે પાકિસ્તાનની સરહદ પર નજર રાખી રહી છે, પરંતુ હવે ચીનની સરહદ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નવા આર્મી ચીફ બનનાર લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે બુધવારે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારતે ચીન સાથેની તેની સરહદ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. સેના પ્રમુખે કહ્યું કે ભારતીય સેના કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છે.
લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેનું નિવેદન
શાંતિ દ્વારા લાવીશું કોઇપણ બાબતનો ઉકેલ
પાકિસ્તાનની સાથે ચીન બોર્ડર પર રખાશે ધ્યાન
પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનરનો સ્વીકાર કર્યા બાદ તેમણે કહ્યું કે- ગત રાઉન્ડમાં આપણે પશ્ચિમી મોરચા પર ઘણું ધ્યાન આપ્યું છે. હવે ઉત્તરીય મોરચા પર પણ તે જ રીતે ધ્યાન આપવાની જરૂર છે. સૈન્ય દેશને કોઇપણ ખતરોનો સામનો કરવા સક્ષમ છે.
Army Chief General Manoj Mukund Naravane: Our priority will be to be operationally prepared at all times. We will pay special attention to respect human rights pic.twitter.com/4buURA9Y23
જનરલ નરવણે કહ્યું, આ દિશામાં અમે અમારી ક્ષમતા વધારવાનું કામ કરી રહ્યા છીએ. અમે અમારી ઉત્તર સરહદ તેમજ ઉત્તર પૂર્વ સરહદને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ચીન સાથેના તનાવના સવાલ પર તેમણે કહ્યું કે સરહદ પર શાંતિ માટે અમારી તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શાંતિ દ્વારા લાવીશું કોઇપણ બાબતનો ઉકેલ
Army Chief General Manoj Mukund Naravane: I pray to Waheguru ji to give me courage and strength to perform my duties as the chief of Army Staff. All three services are ready to defend the country. pic.twitter.com/S6HPyAL6Nx
તેમણે કહ્યું કે, આપણે આપણી સીમાઓ પર સતત શાંતિ અને સ્થિરતા બનાવી રાખવામાં સફળ થયાં છીએ. મને આશા છે કે, તેવી રીતે આગામી સમયગાળામાં પણ સ્થિતિ કાબૂમાં રહેશે અને આપણે શાંતિથી કોઇપણ ઉકેલ સુધી પહોંચી શકીશું.