કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના વાયરસના સંકટ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર પર ફરી નિશાન સાધ્યું છે. આ વચ્ચે રાહુલ ગાંધી આ મુદ્દાને લઇને ઘણા એક્સપર્ટો સાથે વાતચીત કરી રહ્યાં છે. આજે નોબેલ વિજેતા અભિજીત બેનર્જી સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ ઘણા સવાલ પૂછ્યાં. આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂછ્યું કે દુનિયામાં એવા કયા દેશ છે, જેની નીતિને અપનાવાથી આપણને ફાયદો થઇ શકે છે. અભિજીત બેનર્જીએ કહ્યું કે આપણે જ્યારે જીડીપીના 1 ટકા પેકેજની વાતો કરીએ છીએ ત્યારે અમેરિકાએ 10 ટકા આપ્યું છે.
અભિજીત બેનર્જીએ આ દરમિયાન ઇંડોનેશિયાનું ઉદાહરણ આપ્યું. રાહુલ ગાંધીને અભિજીત બેનર્જીને કહ્યું આ સમયે ઇંડોનેશિયા લોકોને પૈસા આપી રહ્યું છે, આ બધુ કમ્યુનિટિ સ્તર પર નિર્ણય લેવાની પ્રક્રિયા હેઠળ થઇ રહ્યું છે.
અભિજીત બેનર્જીના મહત્વના સૂચનો
નોબેલ પુરસ્કાર અભિજીત બેનર્જીએ મહત્વના સૂચનો આપતાં જણાવ્યું કે ઘણાં ગરીબ લોકો હજી સિસ્ટમમાં નથી. રાશન માટે આધાર-બેઝ્ડ વ્યવસ્થાથી તેમની ઘણી તકલીફોનો ઉકેલ આવશે. અસ્થાઈ રેશન કાર્ડની સુવિધા શરૂ કરવી જોઈએ. મને લાગે છે કે ગરીબોને આપવા માટે આપણી પાસે પૂરતી દાળ અને તેલ છે.એનજીઓ દ્વારા લોકોને મદદ પહોંચાડવા માટે રાજ્ય સરકારે પૈસા આપવા જોઈએ. અમુક ભૂલો માટે પણ તૈયાર રહેવું જોઈએ. શક્ય છે કે, અમુક પૈસા જરૂરિયાતના લોકો સુધી ન પણ પહોંચે. જે લોકોને સરકારી યોજનાઓનો ફાયદો નથી મળતો તેમને એ યોજનામાં સામેલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
રાહત પેકેજ જરૂરી
રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે મોટાભાગના ગરીબ લોકોને નાના અને મધ્યમ ઉદ્યોગો અને ધંધામાં કામ મળે છે. આ ઉદ્યોગો અને વ્યવસાયોને રોકડ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કટોકટીમાં આમાંથી ઘણા વ્યવસાયો નાદાર થઈ શકે છે. આવી સ્થિતિમાં આ કામ-ધંધાઓને આર્થિક નુકસાનનો સંબંધ આ લોકો સાથે છે, કારણ કે આમાંથી જ કેટલાંક વ્યવસાયો આ લોકોને રોજગાર-નોકરી આપે છે.
આના જવાબમાં ડો. બેનર્જીએ કહ્યું, 'આ જ કારણ છે કે આપણા જેવા લોકો એમ કહે છે કે પ્રોત્સાહક પેકેજો આપવા જોઈએ. અમેરિકા આ જ કરી રહ્યું છે, જાપાન - યુરોપ આ કરી રહ્યું છે. આપણે હજી સુધી તેના વિશે કંઇ નિર્ણય લીધો નથી. આપણે હજી પણ જીડીપીના 1% જ વાત કરી રહ્યા છીએ. અમેરિકાએ જીડીપીના 10% જેટલું પેકેજ આપ્યું છે.
અભિષેક બેનર્જીએ કહ્યું કે આ સ્પષ્ટ નથી કે માત્ર MSE ને લક્ષ્ય બનાવવું યોગ્ય રહેશે કે નહીં. જરૂરિયાત તો માંગ વધારવાની છે. લોકોના હાથમાં પૈસા હોવા જોઈએ જેથી તેઓ ખરીદી કરી શકે, સ્ટોર્સ પર જઈ શકે અને ગ્રાહક સામાન ખરીદી શકે. ત્યાં ઘણાં MSE ઉત્પાદનો છે જે લોકો ખરીદે છે, પરંતુ તેઓ ખરીદતા નથી. જો તેમની પાસે પૈસા હોય અને તમે પૈસા આપવાનું વચન આપો છો તો તે શક્ય છે. પૈસા ત્યાં નથી.
જો તમે રેડ ઝોનમાં છો, અથવા જ્યાં પણ લોકડાઉન દૂર કરવામાં આવી રહ્યું છે, તો જો તમારા એકાઉન્ટમાં 10,000 રૂપિયા છે તો તમે તેને ખર્ચ કરી શકો છો. અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાનો સૌથી સહેલો રસ્તો ખર્ચ કરવો એ છે. કારણ કે આ એમએસએમઇના હાથમાં પૈસા લાવશે, તેઓ પણ ખર્ચ કરશે અને આ રીતે એક ચેઇન (સાંકળ) બની જશે.
અભિજીત બેનર્જીએ કહ્યું કે સંકટ પહેલાથી જ હું કહી રહ્યું છે ક માંગની સમસ્યા આપણી સામે છે અને હવે આ એક મોટી સમસ્યા થઇ ગઇ છે, કારણે આ અસાધારણ છે. મારી પાસે પૈસા નથી, હું ખરીદારી નહીં કરું કારણ કે મારી તો દુકાન જ બંધ થઇ ગઇ છે અને મારી દુકાન બંધ થઇ ગઇ છે તો હું તમારી પાસેથી કાંઇ ખરીદ નહીં કરું.