ચેન્નાઈમાં રમાઈ રહેલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટનાં ચાર દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને પાંચમાં દિવસે આ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે.
પાંચમા દિવસે ભારતનો પ્રયાસ મેચ જીતવા અથવા તો ડ્રો કરવાનો રહેશે
અશ્વિને ઈંગ્લેન્ડની 6 વિકેટો ખેરવી
રોહિત શર્મા ફરી એકવાર સસ્તામાં આઉટ થયો
ઈંગ્લેન્ડની ટીમ 178માં સમેટાઈ ગઈ
ચેન્નાઈ ટેસ્ટનાં ચોથા દિવસે ભારતે ઈંગ્લેન્ડની ટીમને 178 રનમાં સમેટી લીધી હતી. પણ જ્યારે ભારત તીની બીજી ઈનિંગમાં બેટીંગ માટે ઉતર્યુ ત્યારે ઓપનિંગ જોડી શુભમન ગીલ અને રોહિત શર્મા લાંબી પાર્ટનરશિપ ના કરી શકી. જેમાં રોહિત શર્માએ ફરી પાછો ફ્લોપ શો ચાલુ રાખતા ફક્ત 12 રનમાં જેક લીચનાં બોલ પર બોલ્ડ થયો હતો. ચોથા દિવસનાં અંત સુધીમાં ભારતે 1 વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા છે જેમાં શુભમન ગીલ 15 અને ચેતેશ્વર પુજારા 12 રને નોટઆઉટ રહ્યાં છે.
રોહિત શર્માનો ફરી પાછો ફ્લોપ શો
હવે પાંચમા દિવસે જ્યારે ભારતીય ટીમ મેદાનમાં પહોંચશે ત્યારે તેમની સામે 381 રનનો પહાડ હશે જેને હાંસલ કરવા માટે ભારત પાસે 9 વિકેટ પડી છે અને ઈંગ્લેન્ડની ટીમ પહેલી ટેસ્ટ મેચની જીત ચાખવા માટે 9 વિકેટ દૂર છે. ચોથા દિવસની રમતમાં ભારત તરફથી અશ્વિને સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન આપીને ઈંગ્લેન્ડની 6 વિકેટો ખેરવી નાંખી હતી. પણ ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ અને બીજી ઈનિંગનાં સ્કોરને જોડતા 419 રન ના રોકી શક્યો.
ડ્રો તરફ લઈ જવું પણ અઘરો ટાસ્ક રહેશે
ચોથા દિવસે ઈંગ્લેન્ડનાં ખેલાડીઓએ સસ્તમાં પોતાની વિકેટો ખેરવી દીધી હતી. પહેલી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર જો રુટ બીજી ઈનિંગમાં ફક્ત 40 રનમાં આઉટ થયો હતો. પણ હવે પાંચમા દિવસે ભારતનાં ખેલાડીઓ માટે ચેપોકની પીચ કેવી રહે છે તે જોવુ રહ્યું. ભારત સામે ખૂબ મોટો લક્ષ્યાંક છે અને જો આ લક્ષ્યાંક હાંસલ કરવામાં ભારત સફળ રહ્યું તો તે ઈતિહાસ રચશે. જો ભારત આ મેચને ડ્રો તરફ લઈ જવા પણ સફળ રહેશે તો પણ તેનાં માટે આ કામ ખૂબ અઘરુ સાબીત થશે.