ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ 24 ફેબ્રુઆરીના શરૂ થઇ રહેલી સીમિત ઑવરની ઘરેલૂ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાએ પોતાના સ્કવોર્ડની જાહેરાત કરી દીધી છે. પોતાના ઘરમાં ટીમ ઇન્ડિયા કંગારૂઓ વિરુદ્ઘ 2 મેચની T-20 અને 5 મેચની વનડે સીરિઝ રમશે. ઇંગ્લેન્ડ અને વેલ્સની મેજબાનીમાં થનારા વર્લ્ક કપ 2019માં હવે થોડાક મહિના બાકી છે. ક્રિકેટના આ મહાકુંભ પહેલા ટીમ ઇન્ડિયા પાસે માત્ર 7 ઇન્ટરનેશનલ મેચ છે.
ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ વનડે અને T-20 ટીમમાં પરત ફર્યો છે. વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ છેલ્લી 2 વનડે મેચ અને T-20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિતે કેપ્ટન્સી કરી હતી. આ સિવાય બૉલરમાં જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે. બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ વનડે સીરિઝમાં અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો.