સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના આદર પુનાવાલાએ મોટો દાવો કરતા કહ્યું છે કે દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના CEO આદર પૂનાવાલાએ માહિતી આપી છે કે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાન જાન્યુઆરી 2021 સુધીમાં શરૂ થવાની સંભાવના છે. તેમની કંપની મહિનાના અંત સુધીમાં ઈમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન મેળવવાની અપેક્ષા રાખે છે.
ભારતમાં દરેક નાગરિકને ઓક્ટોબર 2021 સુધી રસી અપાઈ જાય તેવી અપેક્ષા
પૂનાવાલાએ કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં તેમને ઇમરજન્સી લાઇસન્સ મળી શકે છે, પરંતુ વ્યાપક રસીકરણ માટેનું લાઇસન્સ આવતા મોડું થઇ શકે છે. પૂનાવાલાએ એમ પણ કહ્યું કે તેમને અપેક્ષા છે કે ભારતમાં દરેક નાગરિકને ઓક્ટોબર 2021 સુધી રસી અપાય જે ફરી એકવાર સામાન્ય જીવનમાં પાછા ફરવાનો માર્ગ મોકળો કરી દેશે.
"ભારતના 20% લોકોને કોરોના વાયરસની રસી મળે તો દેશમાં ફરીથી આશાની કિરણ ફેલાય"
તેમણે કહ્યું કે એકવાર ભારતના 20% લોકોને કોરોના વાયરસની રસી મળે પછી દેશ આશા અને આત્મવિશ્વાસનું વાતાવરણ ફેલાઈ જશે અને આવતા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં આશા છે કે દરેક માટે પૂરતી રસી હશે અને સામાન્ય જીવન પરત આવી જશે.
સરકાર જુલાઈ 2021 સુધીમાં 300 થી 400 મિલિયન ડોઝ મેળવવા માંગે છે
આદર પૂનાવાલાએ કહ્યું છે કે સરકાર જુલાઈ 2021 સુધીમાં 300 થી 400 મિલિયન ડોઝ મેળવવા માંગે છે અને સીરમ ઇન્સ્ટીટયુટ સરકાર તેમજ ખાનગી બજારો માટે પૂરતી કોરોના વાયરસ રસી તૈયાર કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત રસીકરણ ઝુંબેશની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સરકારે કહ્યું છે કે દરરોજ કુલ 100 લોકોને પ્રત્યેક રસીકરણની સાઈટ ઉપર એન્ટી COVID 19 શોટ મળે અપેક્ષા છે.