જૂન મહિનાની શરૂઆતથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની યાદીમાં ભારત ત્રીજા નંબર પહોંચી ગયું છે અને કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અહેવાલમાં એવો ધડાકો કરવામાં આવ્યો છે જેનાથી ભારતીયોની ચિંતામાં વધારો થઇ શકે છે.
ભારતમાં એક જ દિવસમાં આવી શકે છે 2.87 લાખ કોરોના કેસ
2021 શિયાળામાં એક જ દિવસમાં 2.87 લાખ કેસ આવશે
દેશમાં જૂન મહિનાથી કોરોના વાયરસના કેસમાં થઇ રહ્યો છે વધારો
Massachusetts Institute of Technologyના અનુમાન અનુસાર કોરોના વેક્સીનના અભાવમાં ભારતમાં વર્ષ 2021માં શિયાળા સુધીમાં ભારતમાં એક દિવસમાં 2.87 લાખ કોરોના વાયરસના કેસ સામે આવશે. વિશ્વનાં 84 દેશોમાં કોરોના ટેસ્ટિંગ મુદ્દે શોધમાં આ દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ ટીમ દ્વારા અમેરિકા, સાઉથ આફ્રિકા, ઈરાન, ઇન્ડોનેશિયા, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ભારત જેવા દેશો માટે દૈનિક કોરોના વાયરસ કેસ વિશે અહેવાલ આપવામાં આવ્યો છે
જોકે તે લોકોએ જ સ્વીકાર કર્યું છે કે આ માહિતીને સંભવિત જોખમના રૂપમાં જોવો જોઈએ અને સટીક આંકડા ન કહી શકાય કારણ કે કોરોના વાયરસના નવા કેસ ટેસ્ટિંગ પોલીસી અને તંત્રના વ્યવહાર પરથી જ નક્કી થાય છે. શોધકર્તાઓએ કહ્યું કે વધુમાં વધુ ટેસ્ટિંગ અને એકબીજાથી સંપર્ક કાપવાથી ભવિષ્યનાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો લાવી શકાય છે. જ્યારે શિથિલ પ્રક્રિયાનાં કારણે મહામારીનો રાફડો ફાટી શકે છે.
આ અહેવાલ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જે તે દેશમાં હાલમાં કોરોના વાયરસ ટેસ્ટિંગ રેટ, જે તે પોઝિટિવિટી રેટ અને દર્દીઓના કૉન્ટેક્ટ
રેટ. અહેવાલ રજૂ કરનારે કહ્યું એ અમારું મોડલ કોરોના વાયરસના સંક્રમણનું અનુકરણ કરે છે. જેમાં લોકો કઈ રીતે વાત કરે છે, કેટલા લોકો બીમાર થઇ રહ્યા છે, કેટલા લોકોનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે, કેટલાને દાખલ કરવામાં આવ્યા છે અને કેટલા લોકોના મોત થયા છે જેની સાથે લોકોના વ્યવહારમાં પણ શું ફેરફાર થયા તે બધી બાબતોને નોંધવામાં આવે છે.
તેમણે કહ્યું કે આ બધા જ ડેટાના ઉપયોગથી પરિણામોનો અંદાજ લગાવવામાં આવે છે જેમાં લક્ષણ વિનાના દર્દીઓ અને વાયરસ કેટલો ખતરનાક છે તેના પર પણ માહિતી આપવામાં આવે છે.