પાકિસ્તાનને એક વાર ફરી ભારતની સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતચાવી રહ્યો છે. પાકિસ્તાનના મુખ્ય અખબાર એક્સપ્રેસ ટિબ્યૂને લખ્યું છે કે ગુપ્તચર એજન્સીએ સંકેત આપ્યા છે કે દિલ્હીમાં ચાલૂ ખેડૂત આંદોનથી ધ્યાન હટાવવા માટે ભારત ફરી કોઈ દુસ્સાહસ કરી શકે છે. અખબારે સેનાના સૂત્રોના હવાલાથી લખ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકની આશંકાથી પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી બોર્ડર પર સૈનિકોને હાઈ એલર્ટ કરી દીધા છે.
પાકિસ્તાન ખેડૂત આંદોલન પર નિવેદન બાજી કરી રહ્યું છે
પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવી રહ્યો છે
પાકે. સર્જિકલ સ્ટ્રાઈકની આશંકાથી સેનાને એલર્ટ પર રાખી
એક્સપ્રેસ ટિબ્યૂએ લખ્યું છે કે ભારતની હિંદુત્વવાદી નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં જારી ભારે વિરોધ પ્રદર્શનને નબળુ કરવા કંઈ પણ કરી શકે છે. ભારત એમ પણ નથી ઈચ્છતું કે ખેડૂતોના નેતૃત્વમાં થઈ રહેલા આ આંદોલનથી ખાલિસ્તાન આંદોલનને હવા મળે. અખબારમાં લખ્યું છે કે અનેક વિશ્વસનીય સૂત્રોથી જાણવા મળ્યું છે કે એલઓસી અને ભારત પાકિસ્તાન વર્કિંગ બ્રાઉડ્રી પર પાકિસ્તાની સેનિકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેથી ભારત કોઈ દુસ્સાહસ કરે તો જવાબ આપી શકાય. પાકિસ્તાનના અખબર જિયો ન્યૂઝે આ સમાચાર છાપ્યા છે.
પાકે. સર્જિકલ સ્ટ્રાઈકની આશંકાથી સેનાને એલર્ટ પર રાખી
જિયોઓ લખ્યું છે કે પાકિસ્તાને ભારતના કોઈ ફ્લેગ ઓપરેશન અથવા સર્જિકલ સ્ટ્રાઈકની આશંકાથી સેનાને એલર્ટ પર રાખ્યું છે. અખબારે લખ્યું છે કે ભારત પોતાના આંતરિક અને બાહ્ય સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. તેમણે લખ્યું કે માઈનોરિટી, ખેડૂત આંદોલન અને કાશ્મીરને લઈને ભારત પર બહું વધારે દબાણ છે. ભારત લદ્દાખમાં પડકારોનો સામનો કરી રહ્યું છે.
બીજી તરફ તેને સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવી રહ્યો છે.
પુલવામાંમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાનો જવાબ ફેબ્રુઆરી 2019માં ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓના અડ્ડા પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જો કે એક તરફ તો પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઈકની વાતથી ઈન્કાર કરી રહ્યું છે અને બીજી તરફ તેને સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવી રહ્યો છે.
પાકિસ્તાન ખેડૂત આંદોલન પર નિવેદન બાજી કરી રહ્યું છે
પાકિસ્તાન ભારતમાં જારી કિસાન આંદોલનને લઈને નિવેદનબાજી કરવામાં લાગ્યું છે. પાકિસ્તાનના મંત્રીઓ ખેડૂતોને ઉશ્કેરવામાં લાગ્યું છે. પાકિસ્તાનના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ પોતાની ટ્વીટમાં ન ફક્ત ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરી બલ્કે ભારતીય ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ગુજરાતી હિન્દુત્વને દોષી ગણાવતા પંજાબના ખેડૂતો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.
ફવાદે એક અન્ય ટ્વીટમાં લખ્યું હતુ કે ક્યાં પણ થઈ રહેલો અન્યાય ન્યાય માટે સંકટ છે. અમે પંજાબના ખેડૂતોની સાથે થઈ રહેલા ખેડૂતોની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. મોદી સરકારની નીતિઓ પૂરા ક્ષેત્ર માટે સંકટ છે.