પાકિસ્તાને બુધવારે વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શાનદાર જીત મેળવી સેમીફાઇનલ માટે આશા જીવંત રાખી છે. પરંતુ હજુ તેની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ એક દાવો કર્યો છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે.
એક પાકિસ્તાની ચેનલે વાતચીતમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરને કહ્યું કે ક્રિકેટ હવે અનિશ્ચિતતાઓની રમત રહી નથી. પરંતુ તમામ વસ્તુ ફિક્સ છે. બાસિતે કહ્યું કે ભારત પાકિસ્તાનની ટીમને સેમીફાઇનલમાં જોવા માગંતુ નથી. તેથી વિરાટ કોહલીની ટીમ જાણી જોઇને બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ પોતાની મેચ હારી શકે છે.
47 વર્ષીય પૂર્વ ક્રિકેટરે પાકિસ્તાનના ન્યુઝીલેન્ડ સાથેની મેચ પહેલા આ ચોંકાવનાર દાવો કર્યો હતો. એમણે કહ્યું કે પાકિસ્તાન હવે એક જ કામ કરી શકે છે કે તે પોતાની રમત પર ફોકસ રાખે. ન્યુઝીલેન્ડ સેમીફાઇનલ માટે એક જીતથી દૂર છે ત્યારે પાકિસ્તાન દરેક હાલમાં પોતાની બાકી બંને મેચ જીતવી પડશે અને કેટલીક ટીમોની હારની પ્રાર્થના પણ કરવી પડશે. પાકિસ્તાન પાસે 7 મેચ રમ્યા બાદ 7 પોઇન્ટ છે. અને તે છઠ્ઠા નંબરે છે. હવે તેના પ્રયાસ પોઇન્ટ ટેબલમાં 11 પોઇન્ટ મેળવવાનો રહેશે.
Basit Ali reckons India will not want Pakistan to qualify for the semi-finals and may play poorly in their matches against Sri Lanka and Bangladesh 🙄 #CWC19pic.twitter.com/vwg3oFnnpl
પાકિસ્તાનની ARY ન્યુઝસાથેની વાતચિતમાં બાસિતે કહ્યું કે, ભારતે અત્યાર સુધીમાં માત્ર પાંચ મેચ રમ્યું છે. અને તે ક્યારે નહીં ઇચ્છે કે પાકિસ્તાન સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ કરે. ભારતના બાકી બચેલી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ છે. અને જે રીતે એમણે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમ્યા છે. તેને સૌ કોઇએ નજર સામે છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે વધુમાં કહ્યું કે, એ એવી રીતે રમી રહ્યા હતા કે કોઇને શંકા પણ ન જાય.
બાસિતે આટલે થી જ ન રોકાયા અને તેમણે 1992 મેચને પણ ફિક્સિંગ કરી નાંખી. પાકિસ્તાન માટે 50 આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમનાર બાસિતે કહ્યું કે, 1992માં ન્યુઝીલેન્ડ પણ પાકિસ્તાનથી જાણી જોઇ હાર્યું હતું. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે ઓવલમાં ભારત વિરુદ્ધ ધીમું રમ્યો હતો.
એમણે આરોપ લગાવ્યો કે 1992માં ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બનનારી પાકિસ્તાનની ટીમથી એટલા માટે હારી ગઈ હતી કે તે સમીફાઇનલ પોતાની જમીન પર રમી શકે. 1992માં પાકિસ્તાનથી હાર્યા છંતા ન્યુઝીલેન્ડ પોઇન્ટટેબલમાં ટોચ પર રહી હતી.
આપને જણાવીએ કે, ઇંગ્લેન્ડની સતત હારથી બાંગ્લાદેશ, શ્રીલંકા, અને પાકિસ્તાનની સેમીફાઇનલ રમવાની આશા જીવંત બનાવી છે. જો ભારત ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવે છે તો તેથી પાકિસ્તાનનો રસ્તો સરળ બની જશે. જોકે, સેમીફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને પોતાની બે મેચ ક્રમશ: અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ જીતવી પડશે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ જીત સાથે વર્લ્ડકપની શરૂઆત કરનાર પાક. પોતાની રહા ભટકી ગયું. જોકે, દ.આફ્રીકા અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ જીતથી તેના માટે સેમીફાઇનલના દરવાજા ખુલી ગયા છે. 11 પોઇન્ટ મેળવ્યા બાદ પણ સેમીફાઇનલમાં પહોંચવા માટે પાક. માટે કોઇ એક સમીકરણ બનવું જરૂરી છે. એક તો ઇંગ્લેન્ડ અને શ્રીલંકા ઓછામાં ઓછી એક મેચ હારે. તેથી તેમના 10 પોઇન્ટ થઇ જશે. બીજુ સમીકરણ કે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બંને હારી જાય તો પાકિસ્તાનથી ઓછા અથવા બરાબર પોઇન્ટ રહી જશે.
જો પાકિ્સતાન માત્ર એક મેચ જીતે છે તો નેગેટિવ રન રેટને કારણે સેમીફાઇનલમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની જશે અને સંભવ છે કે બીજી ટીમને 10 પોઇન્ટ સાથે વર્લ્ડ કપ આગળ રમે.