બ્રેકિંગ ન્યુઝ
VTV / India managed Omicron surge much better than other countries: Centre
Last Updated: 04:17 PM, 17 March 2022
ADVERTISEMENT
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે એવું જાહેર કર્યું કે ભારતના કોરોના વેક્સિનેશન અભિયાનને કારણે દેશને ઓમિક્રોનને કન્ટ્રોલમાં લેવામાં ઘણી મદદ કરી છે.સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ અગાઉની લહેર કરતા છ ગણા વધારે હતા.
India managed Omicron surge much better than other countries: Centre
— ANI Digital (@ani_digital) March 17, 2022
Read @ANI Story | https://t.co/tDk5XjBvw3#Omicron #COVID19 pic.twitter.com/1wmMI1wFGC
ADVERTISEMENT
દુનિયામાં રોજના 15થી 17 લાખ કેસ, ભારતમાં ફક્ત 3000- લવ અગ્રવાલ
વેબિનાર દરમિયાન આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે બીજો દેશોની તુલનામાં ભારતે વેક્સિનેશનમાં ખૂબ સફળતા મેળવી છે અને સરકાર દ્વારા ઘણા સકારાત્મક પગલાં ભરાયા છે. તેમણે કહ્યું કે આજે બીજા દેશો કરતા ભારતે ઓમિક્રોન ઉછાળાને સારી રીતે નાથી જાણ્યો છે. આજે વિશ્વમાં દરરોજ કોરોનાના 15 થી 17 લાખ કેસ આવી રહ્યાં છે પરંતુ ભારતમાં રોજના ફક્ત 3000 કેસ આવી રહ્યાં છે.
180 કરોડ ડોઝ આપ્યાં જે અમેરિકા કરતા 3.2 અને ફ્રાન્સ કરતા 12.5 ટકા વધારે
અગ્રવાલે કહ્યું કે ભારતે કોરોના વેક્સિનના 180 કરોડ ડોઝ આપ્યાં છે જે અમેરિકા કરતા 3.2 અને ફ્રાન્સ કરતા 12.5 ટકા વધારે છે.વેબિનારમાં બોલતા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રીના જન્મદિવસે ફક્ત એક દિવસમાં 2.5 કરોડ વેક્સિન આપવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું છતાં પણ તે કામ પાર પડાયું જોકે સિસ્ટમમાં થોડી ખામીઓ સામે આવી હતી. આનાથી ભારતની તાકાત અને ક્ષમતા સાબિત થઈ છે.
ભારતમાં કેમ વધ્યો ચોથી લહેરનો ખતરો
ચીન અને યુરોપના ઘણા દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટાક્રૉનના કેસ ડરાવવા લાગ્યા છે. ચીનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ બીએ.2 ને કારણે થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.