શિખર ધવનની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝનો પહેલો મેચ હારી ગઈ છે.
પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 306 રન બનાવ્યા હતા
ન્યૂઝીલેન્ડના સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે.
ન્યૂઝીલેન્ડમાં ODI ક્રિકેટમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. શિખર ધવનની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા વનડેનો પહેલો મેચ હારી ગઈ છે. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 307 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 306 રન બનાવ્યા હતા.ન્યૂઝીલેન્ડ એ આ ટાર્ગેટ 47 ઓવરમાં જ મેળવી લીધો હતો.
That's that from the 1st ODI.
New Zealand win by 7 wickets, lead the series 1-0.
ભારતીય ટીમને પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડના સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ કિવી ટીમે તેને સરળતાથી હાંસલ કરી લીધો હતો. કેન વિલિયમસન અને ટોમ લાથમ ન્યુઝીલેન્ડ ટીમની જીતના હીરો રહ્યા હતા.
Tom Latham and Kane Williamson master a memorable chase against India ⭐
ભારતે 307 રનનો ટાર્ગેટ આપ્યો છે
મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 306 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવન, શ્રેયસ ઐયર અને ઓપનર શુભમન ગિલ પણ ભારતીય ઇનિંગ્સના હીરો રહ્યા હતા. જણાવી દઈએ કે ધવને 72 અને ગિલે 50 રન બનાવ્યા હતા અને બંને વચ્ચે પહેલી વિકેટ માટે 124 રનની ભાગીદારી થઈ હતી. ઉપરાંત શ્રેયસ અય્યરની વાત કરીએ તો તેણે 76 બોલમાં 80 રન બનાવ્યા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયા તરફથી વોશિંગ્ટન સુંદર રમતો જોવા મળ્યો હતો અને તેને 16 બોલમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા.