બ્રિસ્બેનઃ ટી-20માં ભારતની 4 રનથી હાર થઇ છે. મહેમાન ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને ખરાખરીના ખેલમાં માત આપી છે. વરસાદના કારણે મેચ 17-17 ઓવરની કરી દેવામાં આવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા અને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ભારતને જીત માટે 174 રનોનો સંશોધિત ટારગેટ અપાયો હતો.
મેચ શરૂ થયા બાદ 16.1 ઓવરે વરસાદ આપ્યો જેની થોડીવાર બાદ મેચ ફરી શરૂ કરી દેવામાં આવી પરંતુ અમ્પાયરોએ 20 ઓવરની જગ્યાએ 17 ઓવરની મેચ કરી દીધી હતી. લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા પરંતુ 4 રનથી મેચ ગુમાવી દીધી.
છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 13 રન જોઇતા હતા પરંતુ દિનેશ કાર્તિક અને ક્રુણાલ પંડ્યાની વિકેટ પડવાના કારણે તેઓ 4 રનથી દૂર રહી ગયા.