રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ દ્વારા સતત કરવામાં આવતા પ્રયોગ પર સવાલો ઉઠી રહ્યા છે. હવે પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે પણ ટીમ ઈન્ડિયાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.
એશિયા કપ 2022માં ભારતનું નિરાશાજનક પ્રદર્શન
કોચ અને કેપ્ટનની રણનીતિ ઉપર સવાલો ઉઠ્યા
દિલીપ વેંગસરકરે ટીમના પ્રયોગો પર સવાલ કર્યા
એશિયા કપ 2022માં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું. ટીમ ઈન્ડિયા સુપર-4 સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી અને તે જગ્યા બનાવી શકી ન હતી. રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ દ્વારા સતત કરવામાં આવતા પ્રયોગ પર સવાલો ઉઠી રહ્યા છે. હવે પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે પણ ટીમ ઈન્ડિયાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.
દિલીપ વેંગસરકરે કોચ અને કેપ્ટનના પ્રયોગ પર ટીપ્પણી કરી
દિલીપ વેંગસરકરે લખ્યું કે ટીમ હજુ પણ પ્રયોગો સાથે આગળ વધી રહી છે. દિનેશ કાર્તિક ટીમમાં પસંદ કરવામાં આવ્યો, તેને રમાડવામાં આવ્યો નતો. રવિચંદ્રન અશ્વિનને પણ ઓછો રમાડ્યો. વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ પ્લેઈંગ-11 શોધવા માટે મેનેજમેન્ટે આ કરવું પડી રહ્યું છે. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે એશિયા કપ પણ મોટી ટૂર્નામેન્ટ છે, આવી મોટી મેચો જીતવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ દ્વિપક્ષીય શ્રેણીમાં પ્રયોગો કરી શકે છે, પરંતુ એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં આવો ઉપયોગ કરવો ન જોઈએ.
ભારત એશિયા કપમાંથી બહાર
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા એશિયા કપમાં સુપર-4 તબક્કામાં માત્ર એક જ મેચ જીતી શકી હતી. અહીં પાકિસ્તાને ભારતને 5 વિકેટે અને ત્યારબાદ શ્રીલંકાએ 6 વિકેટે હરાવ્યું હતું. બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા એશિયા કપ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. છેલ્લે તેઓએ અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું.
ટીમમાં ઘણા ફેરફારો થયા છે
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ઘણી સીરીઝમાં કેપ્ટન બદલાયો, ઘણી ઓપનિંગ જોડી પણ બદલાઈ છે. આ જ કારણ છે કે નિષ્ણાંતોએ સતત થતા ફેરફારો પર કટાક્ષ કર્યો હતો. દ્રવિડના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશન, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, દીપક હુડા જેવા ખેલાડીઓને ઓપનર તરીકે ઓપનિંગ કરી ચુક્યા છે.
ભારત આવનાર વિશ્વ કપ માટે તૈયાર
ભારત T20 વર્લ્ડ કપ માટે તૈયાર છે. આગળના મહિનામાં ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ યોજાવાનો છે અને તે પહેલા તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. જોવાનું એ રહે છે કે આખરે ક્યાં ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળે છે.