WTOએ ભારતને આગામી ચાર મહિનામાં તેની બધી ઍક્સપોર્ટ સબસીડી યોજનાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ ભારતને પણ આગામી 6 મહિનાની અંદર તમામ સેઝ સ્કીમ્સને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જેની સામે ભારતે ખાતરી આપી હતી કે WTO દ્વારા નિર્ધારિત નિયમોના આધારે તે આ વર્ષના અંત સુધીમાં નવી વિદેશ વેપાર નીતિ લાવશે. ઉપરાંત, નિકાસ ઉત્પાદનો પરના ટૅક્સ અને અનુદાનને દૂર કરી શકાય છે.
શું અસર થશે?
WTOના નિર્ણયથી ભારતમાંથી નિકાસ થતી ચીજોની કિંમતમાં વધારો થશે. આ સાથે ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે અમેરિકન અને અન્ય દેશોના ઉત્પાદનોનો સામનો કરી શકશે નહીં. સૌથી મોટી અસર કૅપિટલ ગુડ્સ અને ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર પર પડશે. આનાથી ઉત્પાદનમાં પણ અસર થશે.
ભારત નવી ફૉરેન ટ્રેડ પોલિસી લાવશે
WTOમાં કેસની સુનાવણી દરમિયાન અમેરિકાએ આરોપ લગાવ્યો કે ભારત તરફથી નિકાસ સબસિડી અમેરિકન કંપનીઓના હિતને નુકસાન પહોંચાડી રહી છે. અમેરિકાએ માર્ચ 2018 માં ભારત સામે WTOને અપીલ કરી હતી અને ભારત ઉપર આશરે 7 બિલિયન અબજ ડોલરની ગેરકાયદેસર સબસિડી આપવાનો આરોપ લગાવ્યો હતો.જો કે, ભારતે યુએસની દલીલોને ખારિજ કરતા WTO સમિતિના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાની જાહેરાત કરી છે.