ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ત્યારે સરકાર વુદ્ધો અને હાઈ રિસ્ક વાળા વર્કપ્લેશ પર કામ કરી રહેલા લોકોને કટોકટીની સ્થિતિમાં કોરોનાની રસી આપવા પર વિચાર કરી શકાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પોતે રવિવારે ‘સંડે સંવાદ’ નામના એક સોશિયલ મીડિયા ઈન્ટરેક્શનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
ફાઈનલ ફેઝ પુરો થવા પર હવે 6થી 9 મહિનાનો સમય લાગશે
કટોકટીની સ્થિતિમાં ગંભીર રુપે પીડિત દર્દીઓને રસી અપાઈ શકે
રસીની વિશ્વસનીયતાની વાત છે તો તે તેનો પહેલો ડોઝ લેવા તૈયારઃ ડો. હર્ષવર્ધન
અધિકારીઓનું કહેવું છે કે રસીનો પહેલો ફાઈનલ ફેઝ પુરો થવા પર હવે 6થી 9 મહિનાનો સમય લાગશે. તેવામાં રસીની અસર તથા તેની સુરક્ષાની ખાતરી થઈ જાય તો ‘ફાસ્ટ ટ્રેક રસી’ એટલે કે કટોકટીની સ્થિતિમાં ગંભીર રુપે પીડિત દર્દીઓને રસી આપવાનું કામ શરુ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે ભારતમાં 48 લાખથી વધુ કોરોના કેસ છે. અમેરિકા બાદ બીજા નંબરે છે ભારત. તેમજ ઓગસ્ટના છેલ્લા 15 દિવસથી અમેરિકા કરતા પણ વધારે કેસ નોંધાય છે. અહીં રોજના 1000 લોકોના મોત થાય છે.
હર્ષવર્ધનને કહ્યું કે ફાસ્ટ ટ્રેક રસીની મદદથી ટ્રાયલના ત્રીજા ચરણમાં લાગનારો સમય ઘટાડી શકાય છે. જો કે ક્લીનીકલ ટ્રાયલના કોઈ ભાગને અડધો નથી છોડી શકાતો. રસી ત્યારે ઉપલબ્ધ થશે જ્યારે સરકાર તેની સુરક્ષા અને અસરકારતાની ખાતરી કરશે. તેમણે એમ પણ કહ્યું કે જો રસીની વિશ્વસનીયતાની વાત છે તો તે તેનો પહેલો ડોઝ લેવા તૈયાર છે.
તેમણે કહ્યું કે હાલ રસીની કોઈ તારીખ નક્કી નથી થઈ પણ તેને પહેલા હેલ્થ કેર વર્ક્સ, વુદ્ધો, ઓછી ઈમ્યુનિટી વાળા લોકો અને જેમને બીજી બિમારી છે તેમને સૌથી પહેલા આપવામાં આવશે. શક્ય છે કે 2021ના પહેલા ભાગમાં આપણને અલગ અલગ રસીના ટ્રાયલના પરિણામ ખબર પડી જશે.