ભારતમાં ચોથી લહેરની આશંકા વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી મોતની સંખ્યામાં લગભગ બમણો વધારો થયો છે.
ભારતમાં કોરોના ઘટ્યો
છેલ્લો ચોવીસ કલાકમાં કોરોનાના નવા 1761 કેસ
મોતનો આંકડો વધ્યો, એક દિવસમાં 127ના મોત
શનિવારે કોરોનાના 2000 કેસ નોંધાયા હતા
ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. રવિવારે કોરોના કેસ ઘટીને 1761 થયા હતા,શનિવારે દેશમાં 2075 કોરોના કેસ આવ્યાં હતા. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના કેસમાં ઘટાડો તો થયો છે પરંતુ મોતનો આંકડો વધ્યો છે જે ચિંતાજનક છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી 127 લોકોના મોત થયા છે જે શનિવારે ફક્ત 71 હતા.
COVID19 | India logs 1,761 new cases & 127 deaths in the last 24 hours; Active caseload stands at 26,240
ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી 127 લોકોએ જીવ ગુમાવ્યાં છે. શનિવારે કોરોનાથી મરનાર લોકોની સંખ્યા 71 હતી જે આજે વધીને 127 થઈ.આમ એક દિવસમાં મોતના આંકડાએ મોટી છલાંગ લગાવી છે.
ભારતમાં પણ ચોથી લહેરની આશંકા
દુનિયામાં ઓમિક્રોન વેરિયન્ટે ચિંતા વધારી છે.ચીન,સાઉથ કોરિયા સહિતના દેશમાં કોરોનાના કેસ વધતા જાય છે આવી સ્થિતિમાં ભારતમાં પણ કોરોનાની ચોથી લહેરની ચર્ચા શરુ થઈ છે. દેશમાં 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ થવા જઈ રહી છે. આ જોતાં ભારતમાં પણ ચોથી લહેર આવવાની શક્યતા છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે ડિસેમ્બર 2021 અને આ વર્ષે ફેબ્રુઆરી વચ્ચેની ત્રીજી લહેરમાં મોટાભાગના લોકોને વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ મળી છે. મોટી વસ્તીને રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ચોથી લહેર ખૂબ જ ખતરનાક બનવાની શક્યતા ઓછી છે. પરંતુ કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવાનું ચાલુ રાખો.
દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોનાની નવી લહેર ભયાનક ગતિએ આગળ વધી રહી છે
દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોનાની નવી લહેર ભયાનક ગતિએ આગળ વધી રહી છે. સાઉથ કોરિયામાં 3 દિવસમાં કોરોનાના 14 લાખ કેસ નોંધતા ફફડાટ વ્યાપ્યો છે. ચીનમાં 14 મહિના પછી કોરોનાએ બે લોકોના મોત નિપજ્યા છે. હોંગકોંગમાં કુલ કેસ 10 લાખને વટાવી ગયા છે, જેમાંથી 97% કેસ ગયા ફેબ્રુઆરી પછી કોરોનાના તાજેતરના મોજામાં નોંધાયા છે. ત્યાં વાયરસે અત્યાર સુધીમાં 5,401 લોકોના જીવ લીધા છે, જે 2019 માં ચીનમાં ચેપ ફાટી નીકળ્યા પછીના મૃત્યુ (4,636) કરતા વધુ છે.
યુરોપ, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને ઇટાલીમાં કોરોના કેસમાં 30 ટકાનો વધારો
યુરોપ, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને ઇટાલીમાં એક અઠવાડિયામાં કેસોમાં 30% થી વધુનો વધારો જોવા મળ્યો છે. ગયા સપ્તાહની સરખામણીએ વિશ્વભરમાં દરરોજના કોરોના કેસમાં 12%નો વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું કે કોરોનાના આંકડામાં આ ઉછાળો 'આઈસબર્ગની ટોચ' છે એટલે કે રોગચાળો જેટલો મોટો દેખાય છે, તેટલું જ વધુ ભયાનક ચિત્ર છે. રોગચાળો આટલો જલ્દી ખતમ થવાનો નથી. આપણે અત્યારે રોગચાળાની વચ્ચે છીએ.