તહેવારોની સીઝનની વચ્ચે દેશમાં એકવાર ફરી કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે.
કોરોનાના 15 હજાર 906 નવા મામલા નોંધાયા
કોરોનાથી 500થી વધારે લોકોના મોત થયા
રિકવરી રેટ સતત પોતાના ઉચ્ચતમ સ્તરે બનેલો છે
કોરોનાના 15 હજાર 906 નવા મામલા નોંધાયા
તહેવારોની સીઝનની વચ્ચે દેશમાં એકવાર ફરી કોરોના સંક્રમણના 15 હજાર 906 નવા મામલા નોંધાયા છે. જોકે કોરોનાના નવા મામલા હજું કંટ્રોલમાં છે. પરંતુ કેટલાક રાજ્યોમાં વધતા આંકડા ચિંતા વધારી રહ્યા છે. રાહતની વાત એ છે કે કોરોનાથી સાજા થનારા લોકોનો દર એટલે કે રિકવરી રેટ સતત પોતાના ઉચ્ચતમ સ્તરે બનેલો છે. મોતના આંકડા ગત દિવસની સરખામણીએ ઓછા જરુર છે પરંતુ આ હજું પણ 500ને પાર છે. ગત 24 કલાકમાં દેશની અંદર કોરોનાથી 561 મોત નોંધાયા છે.
દેશમાં કોરોનાનો રિકવરી રેટ 98.17 ટકા
તાજા આંકડા મુજબ હાલમાં દેશમાં કોરોનાનો રિકવરી રેટ 98.17 ટકા છે. જે માર્ચ 2020માં સૌથી વધારે છે. ત્યારે ગત 24 કલાકની અંદર કોરોનાના 16 હજાર 479 દર્દી સાજા થયા છે. આ બાદ હવે દેશમાં કોરોનાથી સાજા થનારા કુલ આંકડા 3 કરોડ 35 લાખ 48 હજાર 605 પર પહોંચી ગયા છે.
અઠવાડિક પોઝિટિવિટી રેટ પણ 30 દિવસમાં 2 ટકાની નીચે
ત્યારે ભારતમાં કોરોનાથી ફક્ત 1 લાખ 72 હજાર 594 દર્દી બચ્યા છે. જે ગત 235 દિવસમાં સૌથી ઓછા છે. અઠવાડિક પોઝિટિવિટી રેટ પણ 30 દિવસમાં 2 ટકાની નીચે છે. હાલમાં આ 1.23 ટકા પર છે. એક્ટિવ કેસ પણ દેશમાં કુલ આવેલા મામલાના ફક્ત 0.51 ટકા જ રહી ગયો છે.
દેશમાં કોરોના રસીના 102.10 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા
દેશભરમાં અત્યાર સુધી કોરોના રસીના 102.10 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. ભારતમાં આ વર્ષે 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરુ થયુ હતુ.