સરકારના મેથમેટિકલ મોડલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ.વિદ્યાસાગરે જણાવ્યું કે કોરોનાની બીજી લહેર 7 મે સુધી પીક પર આવશે.
આ અઠવાડિયામાં જ કોરોનાના કેસો ઘટવાનું શરુ થઈ જશે
7 મેએ કોરોનાની બીજી લહેર પીક પર હશે,
વૈજ્ઞાનિકોએ જણાવ્યું ક્યારે લઈ શકાશે રાહતનો શ્વાસ
ચાલુ અઠવાડિયાના અંતમાં કોરોનાના કેસો ઘટવાનું ચાલુ થઈ જશે
અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે કોરોનાનું પીક આવશે
કોરોનાનું પીક અત્યંત નજીક
પ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે
ચાલુ અઠવાડિયાના અંતમાં કોરોનાના કેસો ઘટવાનું ચાલુ થઈ જશે
અમને લાગી રહ્યું છે કે ચાલુ અઠવાડિયાના અંતમાં કોરોનાના કેસો ઘટવાનું ચાલુ થઈ જશે. 7 મે ના દિવસે કોરોના પીક પર હશે. અને પછી કેસો ધટવાનું શરુ થઈ જશે. પરંતુ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે કોરોના ઘટી જશે. સાચુ કહીએ તો કોરોનાનું પીક અત્યંત નજીક છે.
પીડિતોની સંખ્યા દરરોજ ઘટી રહી છે.
દેશ માટે રાહતની વાત
જો પ્રોફેસર વિદ્યાસગરનું આ અનુમાન સાચુ પડે તો દેશ માટે રાહતની વાત છે. તેમણે કહ્યું કે પીડિતોની સંખ્યા દરરોજ ઘટી રહી છે. પરિણામે આપણે ફક્ત ખોટા આંકડા ન જોવા જોઈએ. પરંતુ દરરોજના સરેરાશ કેસો પર ધ્યાન આપવું જોઈએ. તેમનો દાવો છે કે આ નંબર્સ હાલના અઠવાડિયાના અંતમાં ઘટી જશે.
મે મહિના પછી કોઈ રાજ્યમાં પીક નહીં
તેમણે કહ્યું કે બીજી લહેરની શરુઆત મહારાષ્ટ્રથી થઈ છે. જે રાજ્ય મહારાષ્ટ્રથી દૂર છે ત્યાં ધીરે ધીરે પીક આવશે. પરંતુ જે રાજ્યો મહારાષ્ટ્રની નજીક છે ત્યાં જલદીથી પીક આવશે. મે મહિના બાદ કોઈ રાજ્યમાં પીકની સંભાવના જરા પણ નહીં રહે. અમને આશા છે કે વધારેમા વધારે 10-15 દિવસમાં ભારતનું દરેક રાજ્ય પીક પર હશે અને ત્યાંથી કેસોમાં ઘટાડો આવી જશે.
સોમવારની સરખામણીએ 28 હજાર વધારે કેસ છે
બે દિવસ ભલે કેસ ઘટ્યા હોય પણ કોરોના હજું પણ મુશ્કેલી વધારી રહ્યો છે. દેશમાં એકવાર ફરી કોરોનાના નવા મામલાની સાથે મોતમાં પણ વધારો નોંધાયો છે. દેશમાં મંગળવારે 3 લાખ 82 હજારથી વધારે કેસ આવ્યા છે. સોમવારની સરખામણીએ 28 હજાર વધારે કેસ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કેસ 2 કરોડને પાર થઈ ગયા છે. માત્ર 15 દિવસમાં સંક્રમણના 50 લાખથી વધારે મામલા આવ્યા છે.
એક દિવસના કોરોનાના કેસ 382,691 આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે(4 મે) એક દિવસના કોરોનાના કેસ 382,691 આવ્યા છે. આ દરમિયાન સૌથી વધારે મોત 3786 લોકોના જીવ ગયા છે. આ પહેલા સોમવારે 3 મેના રોજ એક દિવસમાં 355, 828 નવા કેસ આવ્યા હતા અને આ દરમિયાન 3438 લોકોના મોત થયા હતા.
એક દિવસમાં 3786 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોના વાયરસના એક દિવસમાં 382,691 નવા કેસ આવતા કુલ કેસની સંખ્યા 20665524 પહોંચી છે. જ્યારે 3786 લોકોના મોત થતા મરાનારાની સંખ્યા 226194 પર પહોંચી ગઈ છે. ભારતમાં ડિસેમ્બરમાં 1 કરોડ કેસ હતા જેના 107 દિવસ બાદ 5 એપ્રિલ સંક્રમણના મામલ 1.25 કરોડને પાર પહોંચી ગઈ. મહામારીના મામલા 1.50 કરોડને પાર થવામાં 15 દિવસ જ લાગ્યા છે.
19 એપ્રિલના આ મામલા 1.5 કરોડથી વધારે થઈ ગયા હતા
દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા ગત વર્ષ ઓગસ્ટે 20 લાખને પાર થઈ ગઈ હતી. તે કોરોનાના દર્દીની સંખ્યા 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર થઈ ગઈ છે. આ બાદ 28 સપ્ટેમ્બરે કોરોનાના મામલા 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ, 19 ડિસેમ્બરે 1 કરોડ અને 19 એપ્રિલના આ મામલા 1.5 કરોડથી વધારે થઈ ગયા હતા.