સચિન તેંદુલકરે વર્ષ 2013માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પોતાની અંતિમ મેચ રમી હતી. શનિવારે તેંદુલકર એક વાર ફરી આ મેદાન પર રમી રહ્યા હતા. ત્યારે વેસ્ટઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન બ્રાયન લારાએ 2007માં વનડે મેચથી સન્યાસ લીધો હતો. તેવામાં બન્ને બેટ્સમેને એક વખત ફરી મેદાન પર જોવાનું સપનું સાકાર થવા જેવું હતું.
ઇન્ડિયા લીજેન્ડ્સે 7 વિકેટથી મેચ જીતી
વેસ્ટઇન્ડીઝે આપ્યો હતો 151 રનનો લક્ષ્યાંક
વિરેન્દ્ર સહેવાગે અણનમ 74 રન બનાવ્યા
રોડ સેફ્ટી અંગે જાગરૂકતા લાવવા માટે શનિવારે મુંબઈના વાનખેડે મેદાન પર 20 ઓવરની એક મેચ રમાઇ હતી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સચિને ટોસ જીતીને બ્રાયન લારાની ટીમને પ્રથમ બેટિંગ આપી હતી. વેસ્ટઇન્ડીઝ તરફથી ડૈરેન ગંગા અને શિવનારાયણ ચંદ્રપાલે ઇનિંગ્સની શરૂઆત કરી, જોકે વેસ્ટઇન્ડીઝની ટીમે આખી 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા. જેના જવાબમાં ભારતે 19મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો.