સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતે આજે ડિજિટલ ભારત મિશન લોન્ચ કરીને મોટું પગલું ભર્યું છે. આ યોજના અંતર્ગત ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળી રહેશે.
સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતનું ક્રાંતિકારી પગલું
આયુષ્યમાન ડિજિટલ મિશન ભારતે કર્યું લોન્ચ
ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત :PM મોદી
Today, I would like to express gratitude to all doctors, nurses, medical staff of the nation. Be it vaccination or treatment of COVID patients, their efforts gave a huge relief to the nation & helped it in fight against Corona: PM at the launch of Ayushman Bharat Digital Mission pic.twitter.com/wvBNrw2ul5
સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારત દ્વારા આજે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન મોદીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશનને લોન્ચ કર્યું છે. આ યોજના અંતર્ગત હવે દેશના દરેક નાગરીકને હેલ્થ આઈડ કાર્ડ બનાવી આપવામાં આવશે. PM મોદીએ આ યોજના લોન્ચ કરીને સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાતિકારી પગલું ભર્યું છે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત
આ પ્રસંગે વડાપ્રધાન મોદી બોલ્યા કે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હવે ઈલાજ માટે વધું તકલીફ નહી પડે. સાથેજ કહ્યું કે હવે ડિજિટલ ફોર્મ આવવાથી તેનો વિસ્તાર થશે.વડાપ્રધાને કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા અભિયાનને કારણે દેશના સામાન્ય નાગરીકની તાકાત વધશે.
Ayushman Bharat Digital Mission will play a big role in eliminating problems in medical treatment of poor&middle class. Via technology, work done by Ayushman Bharat to connect patients with hospitals across the nation is being further expanded&given strong technology platform: PM pic.twitter.com/eeMTKpXGD3
સમગ્ર મામલે આયુષ્માન ભારત ડિજિટલ મિશનને લોન્ચ કર્યા બાદ પીએમ મોદી બોલ્યા કે આપણા દેશમાં 130 કરોડ આધાર નંબર, 118 કરોડ મોબાઈલ યૂઝર, 80 કરોડ ઈન્ટરનેટ યુઝર, સાથેજ 43 કરોડ જનધન બેંક ખાતા છે. જે આંકડાઓ વિશ્વના કોઈ પણ દેશમાં તમને જોવા મળે.
From 'Rashan to Prashasan', UPI is reaching the common man...With 118 crore mobile subscribers, about 80 crore internet users & about 43 crore 'Jan Dhan' bank accounts, nowhere in the world would you be seeing such a huge digital infrastructure: PM Narendra Modi pic.twitter.com/0R9fZa41j7
યુનિક હેલ્થ આઈડી એક 14 આંકનો રેન્ડમ રીતે જનરેટ નંબર હશે. તેની મદદથી વ્યક્તિના હેલ્થ રેકોર્ડની જાણકારી રાખવામાં આવશે. જરૂરી નથી કે આ આધાર કાર્ડથી બનાવવામાં આવે. ફક્ત ફોન નંબરની મદદથી પણ યુનિક આઈડી બનાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે યુનીક હેલ્થ આઈડીમાં વ્યક્તિનો સંપૂર્ણ હેલ્થ રેકોર્ડ હશે. જાણાકારી અનુસાર જે યુનિક આઈડી મળશે તે લોકોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની મદદથી બનશે. PH-DHMનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની સ્વાસ્થ્ય સેવા પ્રણાલીને વધુ સારી કરશે. તેને હેલ્થ કેરની જરૂરીયાતોનું વન-સ્ટોપ સોલ્યુશન બનાવવાની તૈયારી છે. આ હેલ્થ કેર સર્વિસ આપનાર સંસ્થાઓ સુધી પહોંચવું વધારે સરળ હશે અને તેમની જવાબદારી પણ વધશે.
હેલ્થ કાર્ડ કેવી રીતે બનાવાય ?
યોજના શરૂ થયા પછી, તમે આ વેબસાઇટ https://healthid.ndhm.gov.in/register પર જઈને તમારું પોતાનું આરોગ્ય ID પણ બનાવી શકો છો. એનડીએચએમ હેલ્થ રેકોર્ડ એપ ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. તમે આ એપ દ્વારા હેલ્થ આઈડી માટે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ સિવાય સરકારી-ખાનગી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામાન્ય સેવા કેન્દ્રો પર પણ કાર્ડ બનાવવામાં આવશે.