ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે.
પાકિસ્તાનને વધુ એક લપડાક
ભારતે UNમાં સંભળાવી ખરીખોટી
કહ્યું-તમે અહીં શાંતિ અને સુરક્ષાની વાત કરો છો અને તમારા PM જુઓ
જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરીને ભારતે પાકિસ્તાની પ્રતિનિધિને કહ્યું કે તમે અહીં શાંતિ અને સુરક્ષાની વાત કરી રહ્યા છો અને તમારા વડાપ્રધાન ઓસામા બિન લાદેન જેવા વૈશ્વિક આતંકવાદીનો મહિમા ગાઈ રહ્યા છો. આપને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી, જ્યારે ભારતે તેના પાડોશીનો પર્દાફાશ કર્યો હોય. અનેક પ્રસંગોએ પુરાવા સાથે વૈશ્વિક મંચો પર ખુલ્લો મુક્યો છે.
ભારતે પાકિસ્તાનને ફરીવખત સંભળાવ્યું
ભારત, પ્રથમ સમિતિ (નિ:શસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ) પર તેના જવાબના અધિકારનો ઉપયોગ કરીને, સામાન્ય ચર્ચામાં જણાવ્યું હતું કે, "અહીં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ શાંતિ, સુરક્ષાની વાત કરે છે, જ્યારે તેમના વડાપ્રધાન ઓસામા બિન લાદેન વૈશ્વિક આતંકવાદીઓને શહીદ ગણાવી રહ્યા છે.
Pakistan permanent representative talks about peace, security here, while his PM glorifies global terrorists like Osama Bin Laden as martyrs: India in its Right of Reply at the 1st committee (Disarmament and International Security issues) General Debate pic.twitter.com/Z2Pn6X16t3
ભારતે વધુમાં કહ્યું કે, "વૈશ્વિક આતંકવાદના કેન્દ્ર તરીકે પાકિસ્તાન વારંવાર તેના પડોશીઓ સામે સરહદ પારના આતંકવાદનો ઉપયોગ કરવામાં સામેલ રહ્યું છે. તેને સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોની પરવા નથી. બહુપક્ષીય મંચમાં જૂઠાણા ફેલાવવાના ભયાવહ પ્રયાસ માટે પાકિસ્તાન સામૂહિક તિરસ્કારને પાત્ર છે.
આ પહેલા પણ લગાવી હતી ક્લાસ
યુએન જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના સંબોધનનો જવાબ આપવાના અધિકારમાં ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને ખુલ્લેઆમ ટેકો આપવા અને તેમને હથિયારો આપવા માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે. ભારતે વધુમાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત સૌથી વધુ સંખ્યામાં આતંકવાદીઓને હોસ્ટ કરવાનો પાકિસ્તાનનો અપમાનજનક રેકોર્ડ છે. ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેના આ જવાબને લઈને ઘણી ચર્ચા થઈ હતી.