સમગ્ર દુનિયા કોરોના વાયરસના જંગ વચ્ચે વ્યાપારીક યુદ્ધની પણ અંદરો-અંદર શરૂઆત થઇ ચૂકી છે. ભારતમાં નીતિ-નિર્ધારકમાં કોરોનાને કારણે ઉભા થયેલ પડકાર વચ્ચે નવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ચીન ભલે કહે કે કોરોના પર કાબૂ મેળવી લીધો છે પરંતુ ત્યાં કેટલીક વિદેશી કંપનીઓના યુનિટો બહાર આવવાની તૈયારી કરીને બેઠા છે. તેના કારણે અમેરિકાને વિશ્વાસ છે કે, ભારત સરકારના પ્રયાસો હાથ ધરાશે કે આ કંપનીના યુનિયો પોતાની ધરતી પર લગાવવામાં આવે, ત્યારે આ સમયે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ચીનમાં રહેલી કંપનીઓને લઇને નિવેદન આપ્યું હતું કે, જો તે અહીં આવવા ઇચ્છે તો તેમને વિશેષ પેકેજ આપવાની તૈયાર છે રાજ્ય સરકાર.
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત
વિદેશી કંપનીઓને ભારતમાં લાવવા તૈયારીઓ થઇ શરૂ
યુ.એસ.-ભારત સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમના નેજા હેઠળ યુ.એસ. કંપનીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ અંગે ચર્ચા કરનાર રાજ્યના કુટીર, નાના અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન સિદ્ધાર્થ નાથ સિંહે કહ્યું કે આ વાટાઘાટ ખૂબ પ્રોત્સાહક રહી છે. સિંહે વધુમાં કહ્યું કે અમેરિકાએ ચીનમાં ઘણું રોકાણ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભારત, ખાસ કરીને ઉત્તર પ્રદેશ માટે, ચીનથી અમેરિકન કંપનીઓના તેમના વ્યવસાયને મજબૂત બનાવવાની તક જોઈ રહ્યા છે. તેઓ આ તકનો લાભ લેવા માંગે છે.
ચીનમાં રહેલી કેટલી કંપનીઓ ભારત આવવા તૈયાર
તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાની 100 કંપનીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી આ તમામને ઉત્તર પ્રદેશમાં પોતાન કારોબાર જમવાવમાં દિલચસ્પી છે. સિંહે જણાવ્યું કે, વીડિયો કોન્ફરન્સમાં સામેલ થયેલ કંપનીઓને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ ક્ષેત્ર વિશેષ સંબંધી નીતિ વિશે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે.
ભારત સરકાર બનાવી રહી છે રણનીતિ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું કે, ચીનમાંથી વિદેશી કંપનીઓને ભારતમાં બોલાવવાનો લક્ષ્ય માત્ર નિવેદન સુધી જ સીમિત નથી. કેન્દ્ર સરકાર તેના પર કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોરોના વાયરસની મહામારી વચ્ચે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અને સ્થાનિક રોકાણ વધારવાની સાથે-સાથે વધારે પ્રમાણમાં વિદેશી રોકાણ આકર્ષિત કરવા માટેના વિવિધ ઉપાયો અંગે ચર્ચા કરી છે અને આ મુદ્દેની ખાસ રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ યોજી ખાસ બેઠક
આ બેઠકમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ સહિતના લોકોએ ભાગ લીધો હતો. નિવેદનમાં જણાવાયું છે કે બેઠકમાં રાજ્યોને રોકાણ આકર્ષિત કરવાની દ્રષ્ટિએ વધુ તત્પરતા બતાવવા અને રાજ્યોને પોતાની વ્યૂહરચના ઘડવા માર્ગદર્શન આપવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીઓને અપાયા આદેશ
મોદીએ બેઠક દરમિયા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, રોકાણકારોને જાળવી રાખવા, તેમની સમસ્યાનો ઉકેલ આપવો અને જરૂરી કેન્દ્રીય તથા રાજ્ય સંબંધિત મંજૂરીઓ પ્રાપ્ત કરવામાં મદદ કરવામાં આવે.
ભારતના આ પગલાથી ચીન ગિન્નાયું
ભારતના આ પગલાથી ચીન ગિન્નાયું હતું અને નવા નિયમોને 'ભેદભાવપૂર્ણ' ગણાવ્યો હતો અને તેમાં સુધારાની માંગ કરી હતી. વધુમાં તેણે કહ્યું કે ભારતને 'ખુલ્લા, નિષ્પક્ષ અને ન્યાયસંગત' વ્યવસાય વાતાવરણ બનાવીને વિવિધ દેશોના રોકાણને સમાન રીતે જોવું જોઈએ. ચીને કહ્યું છે કે એફડીઆઇના નિયમોમાં ફેરફારને કારણે અમુક દેશો તરફથી આવતા રોકાણ સામે 'વધારાના અવરોધો' ઉભા કરવામાં આવી છે. આ ફેરફારો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ) નો ભેદભાવપૂર્ણ વાતાવરણના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ નીતિ પરિવર્તનની સ્પષ્ટ અસર ચિની રોકાણકારો પર પડશે.