ભારત ટુંક સમયમાં રુસ પાસેથી S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઈલ ખરીદવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. અમેરિકા આ સોદાનો વિરોધ કરી ચુક્યુ છે. તેમ છતા રક્ષા મંત્રાલયે આ ડીલની અડચણોને દૂર કરતા પ્રસ્તાવિત 39 હજાર કરોડ રૂપિયા મંજૂર કરી દીધા છે. ઉચ્ચ સુત્રોનું કહેવુ છે કે રક્ષામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિજિશન કાઉન્સિલ ગુરુવારે S-400ના સોદાથી સબંધીત સાધારણ પરિવર્તોનોને મંજૂરી આપી દીધી છે.
થોડા સમય પહેલાજ રુસની સાથે થયેલી વ્યવસાયીક વાતચીત દરમ્યાન આ સાધારણ પરિવર્તન સામે આવ્યા છે. S-400 ખરીદીનો મામલો હવે મંજુરી માટે નાણા મંત્રાલય અને પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય મંત્રીમડળની સુરક્ષા સંબંધી સમિતિ પાસે જશે. એક સુત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે દેશના ઉચ્ચ રાજનીતિક નેતૃત્વએ તેના પર નિર્ણય લેવાનો છે કે અસલમાં આ સોદો ક્યારે થાય.
ડિએસી એ અમેરિકા દ્વારા 2 પ્લસ 2 ડાયલોગ રદ્દ કર્યાના એક દિવસ બાદ જ બેઠક કરી. આ ડાયલોગ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમનની પોતાની અમેરિકી સમકક્ષો માઈક પોમ્પિયો અને જિમ મેટિસના સાથે 6 જુલાઈએ વોશિંગટનમાં થવાની હતી. ઓક્ટોબર 2015માં ખબર આવી હતી કે ભારત રુસ પાસેથી S-400 મિસાઈલ ખરીદવાની યોજના બનાવી રહ્યુ છે. આ મિસાઈલ દુશ્મનના રણનીતિક જહાજો જાસૂસી હવાઈ જહાજો મિસાઈલો અને ડ્રોનને 400 કિલોમીટર સુધીની રેન્જ અને હવાથી 30 કિલોમીટર ઉપરજ નષ્ટ કરી શકે છે.