ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણની શરુઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 45 ટકા લોકોને કોવિડ 19ની રસી લાગી ચૂકી છે. આની સાથે ભારત સૌથી તેજ રસીકરણ કરનારો દેશ બની ગયો છે. 2 ફેબ્રુઆરીના સત્તાવાર ડેટા અનુસાર ભારતમાં 40 લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે.
બુધવારે દેશમાં 2,48,662 લોકોને રસી લગાવી છે . આ સાથે રસી લગાવનારા લાભાર્થીઓની સંખ્યા મોડી સાંજ સુધીમાં 43.9 લાખ પર પહોંચી ગઈ. રસીકરણ માટે ખાનગી અને સાર્વજનિક વિસ્તારમાં રજીસ્ટર 92,61,227 લોકોના 47 ટકા છે. ભારતની સરખામણીએ અમેરિકામાં 40 લાખ લોકોને રસી લગાવવામાં 20 દિવસ લાગ્યા હતા. જ્યારે બ્રિટન અને ઈઝરાઈલને 39 દિવસોમાં લક્ષ્યને પુરુ કર્યુ હતુ.
આ રાજ્યોમાં રસીકરણનું કામ સારુ થયું
લાભાર્થીઓની મોટી સંખ્યાવાળા મુખ્ય રાજ્યોમાં મધ્યપ્રદેશે 2 ફેબ્રુઆરી સુધીમાં સૌથી વધારે 69.4 ટકા, રાજસ્થાનમાં 64.7 ટકા લોકોને રસી લગાવાયી છે. જ્યારે યુપીએ 18 દિવસમાં સૌથી વધારે 4.63 લાખ લોકોને રસી લગાવી છે. રાજ્યમાં 9 લાખથી વધારે સ્વાસ્થ્યકર્મી છે. જેમાંથી 51 ટકાનું રસીકરણ થઈ ચૂક્યું છે.
ખરાબ રસીકરણ કવરેજ વાળા રાજ્યો
બીજી તરફ મહારાષ્ટ્રમાં 9,36,857 રજીસ્ટર્ડ સ્વાસ્થ્ય કર્મીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે તમિલનાડુમાં 22.6 ટકા, દિલ્હીમાં 26.6 ટકા, છત્તીસગઢમાં 29 ટકા, પોન્ડિચેરીમાં 12.3 ટકા અને ગોવામાં ફક્ત 28.3 ટકા લોકોને રસી લગાવાઈ છે. આ ખરાબ રસીકરણ કવરેજ વાળા રાજ્યોમાં સામેલ છે.
મણીપુરમાં સૌથી ઓછુ 10 ટકા રસીકરણ થયું
મણીપુરમાં 2 ફેબ્રુઆરી સુધી સૌથી ઓછુ 10 ટકા રસીકરણ થયું છે. લક્ષ્યદ્વીપે પોતાના 90 ટકા સ્વાસ્થ્ય કર્મચારીઓને કવર કર્યા છે અને પોતાની ઓછી વસ્તી છતાં યાદીમાં સૌથી ઉપર છે. પશ્વિમ બંગાળ અને કર્ણાટકે ક્રમશઃ 41.1 ટકા અને 40.9 ટકા સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી લગાવી છે.
ગુજરાતમાં 50 ટકાથી વધારે લોકોને રસી લગાવાયી ચૂકી
ઓડિસ્સા, કેરળ, હરિયાણા અને ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં તેમના કુલ સ્વાસ્થ્ય કર્મચારીઓની સંખ્યામાં 50 ટકાથી વધારે લોકોને રસી લગાવાયી ચૂકી છે. સરકારનું લક્ષ્ય માર્ચ - એપ્રિલ સુધી કુલ લગભગ 3 કરોડ સ્વાસ્થ્ય અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને રસીકરણમાં પ્રાથમિકતા અપવાનું છે.