કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પૂરીનું નિવેદન
ઓઈલ કંપનીઓને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાનું કહ્યું
કહ્યું- ઈન્ટરનેશનલ સ્તરે ભાવે કાબુમાં લાગતા હોય તો કિંમત ઘટાડો
દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. છેલ્લા ઘણા સમયથી બન્ને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી છે.
I request the oil companies that If the international oil prices are in control & under-recovery of their companies have stopped then reduce the oil prices in India also: Hardeep Singh Puri, Petroleum Minister pic.twitter.com/ILyIHcPg4a
શું કહ્યું પેટ્રોલિયમ મંત્રી
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે હું ઓઈલ કંપનીઓને વિનંતી કરું છું કે જો ઈન્ટરનેશનલ સ્તરે ઓઈલ પ્રાઈસિસ કન્ટ્રોલમાં હોય અને તેમની કંપનીની રિકવરી પૂરી થઈ હોય તો તેમણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ.
Despite the international price rise, we could manage the oil prices because the Centre reduced excise duty on Nov 2021 & May 2022. Some state govts didn’t reduce the VAT despite this & there even now, the oil price is high: Hardeep Singh Puri, Petroleum Minister pic.twitter.com/XehPeLHIuj
આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારો છતાં કિંમત ન વધારી
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારો છતાં અમે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો નથી. કારણ કે સરકારે નવેમ્બર 2021 અને પછી મે 2022ના દિવસે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. કેટલાક રાજ્યોએ વેટ ઘટાડ્યો નથી અને તેથી હજુ ભાવ વધારે છે.