સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે LAC પર ભારતીય સૈનિકો પૂરી મક્કમતાથી પરંતુ શાંતિથી સરહદ પર ઉભા છે, ભારત LAC પર રસ્તાઓ અને અન્ય પાયાની સુવિધાઓ સાથે તેના માળખાને મજબૂત કરી રહ્યું છે.
રક્ષા મંત્રાલયના રિપોર્ટ મુજબ ભારતે સરહદી વિસ્તારોમાં સેનાની તૈનાતી વધારી દેવામાં આવી છે
LAC પર ચીન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી દ્વારા પર્યાપ્ત રૂપે જવાબ અપાયો છે.
ભારતીય સૈનિકો મક્કમ પરંતુ શાંતિ પૂર્વક એલએસી પર ઉભા છે
રક્ષા મંત્રાલયના રિપોર્ટ મુજબ ભારતે સરહદી વિસ્તારોમાં સેનાની તૈનાતી વધારી દેવામાં આવી છે
LAC પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે, ભારતે કહ્યું છે કે સરહદી વિસ્તારોમાં જ્યાં છુટા થયા નથી ત્યાં સેનાની તૈનાતી વધારી દેવામાં આવી છે. ઉપરાંત,LACની બીજી બાજુ ચીનના જબરદસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને PLAની વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ તેના સૈન્ય માળખામાં પુનર્ગઠન સાથે જરૂરી ફેરફારો કર્યા છે. આ વાતનો ખુલાસો સ્વંયમ રક્ષા મંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં થયો છે.
LAC પર ચીન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી દ્વારા પર્યાપ્ત રૂપે જવાબ અપાયો છે.
રક્ષા મંત્રાલયના અહેવાલ મુજબ, "એલએસી પર એક કરતા વધુ વિસ્તારમાં ચીન દ્વારા બળ પ્રયોગથી યથાસ્થિતિને બદલવા માટે એકપક્ષીય અને ઉશ્કેરણીજનક કાર્યવાહી દ્વારા પર્યાપ્ત રૂપે જવાબ આપવામાં આવી રહ્યો છે." રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વિવાદના ઉકેલ માટે બંને દેશોની સેનાઓ વિવિધ સ્તરે વાતચીત કરી રહી છે. સતત સંયુક્ત પ્રયાસો પછી, પરંતુ પરિસ્થિતીમાં કોઈ બદલાવ નથી આવ્યો
ભારતીય સૈનિકો મક્કમ પરંતુ શાંતિ પૂર્વક એલએસી પર ઉભા છે
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, LAC પર પોતાના દાવાને મજબૂત કરવા માટે, ભારતીય સૈનિકો મક્કમતાથી અને શાંતિ પૂર્વક સરહદ પર ચીન સામે ઉભા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત એલએસી પર રસ્તાઓ, પુલ અને અન્ય પાયાની સુવિધાઓ સાથે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં પણ વ્યસ્ત છે.
રિપોર્ટમાં સેના તૈયારી અને આધુનિકીકરણની વિસ્તૃત માહિતી અપાઈ છે
સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં છેલ્લા એક વર્ષ દરમિયાન દેશના સંરક્ષણનો સંપૂર્ણ હિસાબ છે. જેમાં ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ સેનાની કાર્યવાહી અને શાંતિ સમજૂતીથી લઈને વાયુસેના અને નૌકાદળની તૈયારીઓ અને આધુનિકીકરણ સુધીની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાકિસ્તાન સાથે જોડાયેલી એલઓસી પર ઘણા તણાવ બાદ બંને દેશોના ડીજીએમઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર બંને દેશો માટે ફાયદાનો સોદો હતો અને તે લાંબા સમય સુધી સરહદ પર શાંતિ જાળવી શકાત.
આતંકવાદીઓ ઘાટીમાં અશાંતિ ફેલાવવામાં લાગેલા છે
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આતંકવાદી સંગઠનો કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને લઘુમતીઓ અને બિન-કાશ્મીરીઓની હત્યા કરી રહ્યા છે, તેમ છતાં સુરક્ષા દળોએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોના નાપાક ઈરાદાઓને નિયંત્રણમાં રાખવામાં સફળ રહ્યા. એક વાર્ષિક અહેવાલ અનુસાર, ભારતીય સેના વર્તમાન જોખમો તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે ભવિષ્યના જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી છતાં સેનાની ઓપરેશનલ તૈયારીઓ પૂર્ણ છે.