ભારતના ટોચના આરોગ્ય નિષ્ણાંત અને IMAના પૂર્વ સચિવ રવિ મલિકે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે આપણે કોરોનાની ત્રીજી લહેરની મધ્યમાં છીએ.
IMAના પૂર્વ સચિવ રવિ મલિકનો મોટો ખુલાસો
ભારત કોરોનાની ત્રીજી લહેરની મધ્યમાં
ફેબ્રુઆરીમાં ભારતની ત્રીજી લહેર પીક પર હશે
ભારતના ટોચના આરોગ્ય નિષ્ણાંત રવિ મલિકે કહ્યું કે ભારતમાં હવે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવશે. આગામી બે અઠવાડિયામાં જોવું પડશે કે આ સ્થિતિ શું રુપ ધારણ કરશે. સંક્રમણની ઝડપ આ રહી તો ફેબ્રુઆરીમાં આ તેના ચરમ પર પહોંચી જશે. તેમણે કહ્યું કે આગામી સમયમાં ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવશે અને પછી ધીરે ધીરે ઘટી જશે. ફેબ્રુઆરી સુધીમાં તો ત્રીજી લહેર પીક પર હશે.
IIT હૈદરાબાદના પ્રોફેસરે આપ્યા રાહતના સમાચાર
દેશમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસને કારણે લોકોમાં ચિંતા ફેલાઈ છે પરંતુ હવે લોકોની રાહતના વધુ એક સમાચાર આવ્યાં છે. IIT હૈદરાબાદના પ્રોફેસર ડોક્ટર એમ વિદ્યાસાગર રાવે જણાવ્યું કે ઓમિક્રોન કોરોનાના એક ચેપી વેરિયન્ટ છે જે વેક્સિનથી આવેલી ઈમ્યુનિટી પણ પ્રભાવિત કરે છે.
વાયરસનું સંક્રમણ વધશે પરંતુ ગભરાવાની જરુર નથી
પ્રોફેસર ડોક્ટર એમ વિદ્યાસાગર રાવે જણાવ્યું કે વાયરસનું સંક્રમણ થશે પરંતુ તેનાથી ગભરાવાની જરુર નથી. તેમણે કહ્યું કે વાયરસનો ચેપ લાગશે, ચિંતા કરવાની જરૂર નથી. લોકડાઉન લાગુ કરવાથી સંક્રમણ પર કાબૂ નહીં આવે. પરંતુ તેનાથી લોકોની મુસીબતમાં વધારો થશે અને જનતા ભયભીત થશે. આવી સ્થિતિમાં દરરોજ કોરોના સંક્રમણના વધુ કેસ સામે આવશે પરંતુ તેનો કોઈ અર્થ નથી. કારણ કે તમે વાયરસથી સંક્રમિત થશો પરંતુ કોઈ રોગથી નહીં.
ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ જેટલો સંક્રમક
ડૉ એમ વિદ્યાસાગરે કહ્યું કે અત્યાર સુધીનો ડેટા દર્શાવે છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ જેટલો સંક્રમક છે. બીજી બાજુ, આ પ્રકાર દેશની 70 થી 100 ટકા વસ્તીમાં વિકસિત કુદરતી પ્રતિરક્ષાને અસર કરે છે. વાસ્તવમાં, આ વાયરસથી બચવા માટે રક્ષણાત્મક કવરના અભાવને કારણે ચેપના કેસમાં વધારો થયો છે.
10 લાખ કેસ આવશે તો 35 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર નહીં પડે
તેમણે કહ્યું કે માની લો કે જો દેશમાં 10 લાખ કેસ આવે તો તેમાંથી 35 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર નહીં પડે તો 13 હજાર લોકોને ઓક્સિજન સપોર્ટની જરુર પડશે બીજી બાજુ હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ સ્વસ્થ થયાના દિવસમાં ઝડપ આવશે. તેમણે એવું પણ કહ્યું કે કોરોના સંક્રમણ વધતા દેશની આરોગ્ય સુવિધાઓ પર વધારે બોજ નહીં પડે.