અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર એન્થની ફાઉચીએ તેમના દેશના સાંસદોને જણાવ્યું કે ભારત કસમયે દેશને ખોલી નાખ્યો જેને કારણે ગંભીર સંકટ સર્જાયું
ફાઉચીએ કહ્યું ભારતે ખોટી ધારણા બનાવી કે કોરોના સમાપ્ત થઈ ગયો
સરકારે સમય પહેલા દેશને ખોલી નાખ્યો અને તેથી ગંભીર સંકટમાં ફસાયો
ભારત કોરોનાની અભૂતપૂર્વ બીજી લહેરથી પ્રભાવિત
કોવિડ-19 પ્રતિક્રિયા પર મંગળવારે સુનાવણી દરમિયાન સેનેટની સ્વાસ્થ્ય, શિક્ષણ અને શ્રમ સમિતિ સમક્ષ બોલતાં ફાઉચીએ જણાવ્યું કે કોરોનાનો ખાતમો થઈ ગયો છે તેવી ભારતે ખોટી ધારણા બનાવી લીધી જેને કારણે ત્યાં મહામારી સંકટ ગંભીર બન્યું છે. ભારત કોરોનાની અભૂતપૂર્વ બીજી લહેરથી પ્રભાવિત છે. ઘણા રાજ્યોમાં હોસ્પિટલમાં બેડ, દવાઓ તથા ઓક્સિજનની અછત પ્રવર્તી રહી છે.
કોરોના ખતમ થયો તેવી ખોટી ધારણા ભારતને ભારે પડી
ડોક્ટર એન્થની ફાઉચીએ જણાવ્યું કે ભારત હાલમાં ગંભીર સંકટમાં છે તેનું કારણ એ છે કે ત્યાં વાસ્તવિક વધારો થયો હતો અને ભારતે ખોટી ધારણા બનાવી કે કોરોના ખતમ થઈ ગયો છે અને પછી થયું શું, તેમણે સમય પહેલા બધું ખોલી નાખ્યું અને હવે ત્યાં કોરોના ચરમસીમાએ પહોંચ્યો છે જેનાથી આપણે બધા પરિચિત છીએ કે તે કેટલો વિનાશનકારી છે.
આ વૈશ્વિક મહામારી છે જેના માટે વૈશ્વિક પ્રતિક્રિયાની જરુર છે
ફાઉચીએ જણાવ્યું કે એક બોધપાઠ આપણે શીખવાની જરુર છે કે આ વૈશ્વિક મહામારી છે જેના માટે વૈશ્વિક પ્રતિક્રિયાની જરુર છે. દરેક જવાબદારી તરફ ધ્યાન આપવું પડશે કે આ ફક્ત આપણા દેશ પ્રત્યે નહીં પરંતુ બીજા દેશોની સાથે સામેલ થવાની પણ જરુર છે જેથી વેક્સિનેશનન પર આપણે દખલ આપી શકીએ. જો દુનિયાના કોઈ પણ હિસ્સામાં વાયરસનો પ્રકોપ ચાલુ રહે તો તેને કારણે અમેરિકાને પણ ખતરો છે. ભારતમાં જે વાયરસ છે તે નવા પ્રકારનો છે તેથી આ થોડો બોધપાઠ છે જે ભારતની સ્થિતિ જોઈને લઈ શકાય છે.
ભારતનો કોરોના સ્ટ્રેન અત્યંત ચેપી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સોમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતનો કોરોના સ્ટ્રેન અત્યંત ચેપી છે તે દુનિયા માટે ટેન્શન વધારનાર છે.
સોમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતમાં ફેલાઈ રહેલો કોવિડ-19 નો સ્ટ્રેન ઘણો ચેપ ફેલાવી રહ્યો છે. આ સ્ટ્રેન ચિંતા ઊભી કરનાર છે. તેમણે જણાવ્યું કે મહામારીનું આજે જે ફિચર આપણે ભારતમાં જોઈએ છીએ તે સંકેત આપી રહ્યો છે કે તે એક અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વેરિયન્ટ છે. ભારતમાં ગતા વર્ષના ઓક્ટોબરમાં B.1.617 જોવા મળ્યો હતો.
ભારતના લોકોએ કોરોનાને ફેલાવવાની તક આપી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભારતના પ્રતિનિધિ ડો.રેડ્રોકો એચ ઓફ્રિન કોવિડ નિયમોની અવગણનાને વધારે દોષી માને છે. ભારતના લોકોએ કોરોનાને ફેલાવવાની તક આપી છે તેવું તેમનું કહેવું છે. યુનિસેફના પ્રતિનિધિ ડો.યાસ્મીન હકે જણાવ્યું કે કોરોનાથી થયેલી તબાહિની ભરપાઈ કરવામાં ભારતને ઘણા વર્ષો લાગી જશે. અમે બાળકો,ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર કોરોનાની અસર જોઈ શકીએ છીએ. ભારતની શિક્ષણ વ્યવસ્થા તો પહેલેથી ખરાબ છે.