ભારતમાંથી અફઘાનિસ્તાનમાં ઘઉ પહોચાડવાને લઈને પાકિસ્તાન દ્વારા રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતમાંથી 50 હજાર ટન ઘઉ પાકિસ્તાનના રસ્તેથી અફઘાનિસ્તાનમાં પહોચાડવામાં આવશે. જેથી ત્યાના લોકોને મોટી રાહત મળી રહેશે.
અફઘાનિસ્તાનના લોકો સુધી ઘઉ પહોચાડાશે
આપને જણાવી દઈએ કે આ નિર્ણય માનવીય અધિકારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભારત સરકાર આ પ્રક્રિયા જલ્દીથી પુરી કરશે અને બાદમાં અફઘાનિસ્તાનના લોકો સુધી ભારતના ઘઉ પહોચાડવામાં આવશે.
અફઘાની નાગરીકો પણ પાકિસ્તાનના રસ્તેથી જઈ શકશે
પાકિસ્તાની પીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે અફઘાની નાગરીકો ઈલાજ અર્થે ભારતમાં ગયા છે. તે લોકોને પર અફઘાનિસ્તાન જવું હશે તો તેમની મદદ કરાશે. તાલિબાન સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ફ્લાઈટો બંધ છે જેના કારણે ઘણા અફઘાની નાગરીકો હજુ પણ ભારતમાંજ છે.
સંયુક્ત રાષ્ટ્રમાં કરાઈ હતી અપીલ
અગાઉ પાકિસ્તાનને કારણે ઘણા વર્ષોથી ભારત તેમના રસ્તેથી અફઘનાને ઘઉ નહોતો મોકલી શકતો. જોકે બાદમાં ચાબહાર પોર્ટની સ્થાપના થયા બાદ અફઘાનમાં ઘઉ મોકલવાનું સંભવ થયું હતું. હાલજ પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં અફઘાનિસ્તાનને મદદ કરવા માટે અન્ય દેશોને પણ અપીલ કરી હતી.