સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાન અને ઈસ્લામિક સહયોગ સંગઠનની ભારતે આકરી ઝાટકણી કાઢી છે.
UNHRCમાં ભારતે પાકિસ્તાન અને OIC આડે હાથ લીધા
પાકિસ્તાન અને OIC એ કાશ્મીર પર આપ્યું હતું નિવેદન
ભારતના સ્થાયી મિશનના સેક્રેટરી પવન બઘે આપ્યો જવાબ
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 48 મા સેશનમાં ભારતે જણાવ્યું કે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકીઓના સમર્થન દેશ જાહેર કરાયો છે.
ભારતે પાકિસ્તાન જેવા અસફળ દેશ પાસેથી બોધપાઠ લેવાની જરુર નથી
કાશ્મીર પર પાકિસ્તાન અને ઓઆઈસીની ટીપ્પણીઓનો જવાબ આપતા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતના સ્થાયી મિશનના સેક્રેટરી પવન બઘેએ જણાવ્યું કે ભારતે પાકિસ્તાન જેવા અસફળ દેશ પાસેથી બોધપાઠ લેવાની જરુર નથી. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુ છે અને માનવાધિકારોનો સૌથી ખરાબ દુરપયોગ કરી રહ્યાં છે.
જુઠો પ્રચાર કરીને ધ્યાન હટાવવાની પાકિસ્તાનની જુની આદત
તેમણે કહ્યું કે ભારતની સામે જુઠા અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરીને આવા મંચનો દુરપયોગ કરવાની પાકિસ્તાનની આદત બની ગઈ છે. તેમણે કહ્યું સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ પાકિસ્તાન સરકારની ગંભીર માનવાધિકારના ઉલ્લંઘનથી ધ્યાન હટાવવાની આદતથી વાકેફ છે.
ભારતે એવું પણ કહ્યું કે ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલામાં ટીપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ઓઆઈસીએ કાશ્મીર મુદ્દે ભારતના નિવેદનને સ્પષ્ટ પણે નકારી કાઢતાં કહ્યું છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન તેના એજન્ડા માટે ઓઆઈસીનો ઉપયોગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઓઆઈસીના સભ્ય દેશોએ નક્કી કરવું જોઈએ કે તેઓ પાકિસ્તાનને આમ કરવાની મંજૂરી આપવાનું ચાલુ રાખશે કે નહીં.
કાશ્મીર મામલે હક ન હોવા છતાં નિવેદન આપવું પાકિસ્તાનની ખોટી આદત
ઉલ્લેખનીય છે કે કાશ્મીર મામલે કોઈ પણ પ્રકારનો હક ન હોવા છતાં પણ પાકિસ્તાન અને ઈસ્લામિક સહયોગ સંગઠને કાશ્મીર મામલે ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. કાશ્મીર મામલે બિનજરુરી નિવેદનો આપવા પાકિસ્તાનની ખોટી અને વર્ષો જુની આદત છે. અને તાજેતરમાં જ ફરી એક વાર પાકિસ્તાને કાશ્મીર મામલે નિવેદન આપ્યું હતું જેનો જવાબ ભારતે આપ્યો અને પાકિસ્તાનને હદમાં રહેવાની સલાહ આપી.