છુપાવવાથી ગરીબી, બેરોજગારી કે અસંતોષ નહીં છુપે એ આ સરકાર સમજતી કેમ નથી? આવી ચર્ચાએ જોર પકડ્યુ છે. ગુજરાતમાં રાતો રાત દિવાલ ચણાવી લઈને તેના ઉપર ગાંધીજીના ચિત્રો દોરી દેવાથી તેની પેલે પારની ગરીબી છુપાઈ જશે એવું સરકારને લાગી શકે પરંતુ જે મોરબીમાં મચ્છુ ડેમ તુટે તેના સમાચાર આપણને અડધી રાતે ફોન ઉપર આપતા હોય તેનાથી ગુજરાતની ગરીબી છુપાવતી સરકાર કેટલી નાદાન હરકત કરી રહ્યુ છે? આવી ચર્ચા પણ થઈ રહી છે. ત્યારે કેવડિયામાં વિરોધના સૂર ટ્વીટર દ્વારા ટ્રમ્પ સુધી પહોંચ્યા છે.
SOU સત્તામંડળને લઇને આદિવાસીઓનો અનોખો વિરોધ
આદિવાસીઓએ મધ્યસ્થી માટે ડોનાલ્ડ ટ્રમ્પને કરી રજૂઆત
ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટ કરી આદિવાસી સમાજે કરી રજૂઆત
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળને લઇને આદિવાસીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. આદિવાસીઓએ મધ્યસ્થી માટે ટ્રમ્પને રજૂઆત કરી છે.
ટ્રમ્પ સુધી પહોંચશે પોકાર?
ટ્રમ્પને ટ્વીટ કરી આદિવાસી સમાજે રજૂઆત કરી છે. કહ્યું કે સરકારે અમારી જમીન છીનવી લીધી છે. સરકાર અમને અહીંથી દૂર ખસેડવા માગે છે. અમે જીવ આપી દઇશું પણ જમીન નહીં આપીએ.
રાજ્ય સરકારે ખાસ 50 જેટલા અધિકારીઓને આંદોલનકારીઓ પર વોચ રાખવાની જવાબદારી
ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના આગમનને લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે. જો કે આ સમયે જ ચાલી રહેલા અનામત આંદોલનને કારણે સરકાર ચિંતિત છે. ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો દરમિયાન દેખાવકારો દેખાવ ન કરે માટે સરકાર સતર્ક બની છે. આ માટે રાજ્ય સરકારે ખાસ 50 જેટલા અધિકારીઓને આંદોલનકારીઓ પર વોચ રાખવાની જવાબદારી સોંપી છે.
ગુપ્તચર એજેન્સીની પણ આ માટે મદદ લેવાશે
આ અધિકારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ખાસ કરીને વોચ રાખશે અને ટ્રમ્પના આગમનમાં આંદોલન અડચણરૂપ ન બને તે મામલે પગલા લેવાશે. ગુપ્તચર એજેન્સીની પણ આ માટે મદદ લેવાશે. હાલ રાજ્યમાં જુદા જુદા મુદ્દે ચાલી રહેલા આંદોલન સરકાર માટે પડકારરૂપ બન્યાં છે.