પ્રધાનમંત્રી મોદી જે મસ્જિદનાં સંરક્ષણ માટે માલદીવને મદદ કરી રહ્યાં છે. તે ફ્રાઈડે મસ્જિદ કોરલ પથ્થરોથી બનેલી છે. મસ્જિદ હુકુરુ મિસ્કી નામે પણ ઓળખાય છે. મસ્જિદ 1658માં નિર્માણ પામી હતી. મસ્જિદ માલદીવનાં કાફુ એટોલ શહેરમાં આવેલી છે. મસ્જિદમાં દરિયાઈ સંસ્કૃતિ અને વાસ્તુકલાનો અદભુત સમન્વય જોવાં મળે છે. 2008માં ફ્રાઈડે મોસ્કનો સમાવશે વર્લ્ડ હેરિટેજની પ્રાથમિક યાદીમાં સમાવેશ થયો હતો.
પ્રધાનમંત્રી મોદીએ માલદીવ સાથે નવા સંબંધોનો આરંભ કર્યો છે. તે સાથે એક જાહેરાત પણ કરી છે. માલદીવની સંસદને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ ત્યાંની ઐતિહાસિક ફ્રાઈડે મસ્જિદની જાળવણી જવાબદારી પણ ઉઠાવી લીધી છે. હેરિટેજ યાદીમાં જેની ગણના થાય છે તે ફ્રાઈડે મસ્જિદનો રખરખવા કરવાની જવાબદારી પ્રધાનમંત્રી મોદીએ શાં માટે ઊઠાવી? તે જાણીએ અહીં ખાસ અહેવાલમાં.
PM Narendra Modi addressing the People's Majlis in Male, #Maldives : I felt great to have announced today that India will contribute in conservation of Maldives' Friday Mosque. There's no such mosque elsewhere in the world like this historical mosque made up of coral. pic.twitter.com/FNabSjhBx0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવની ફ્રાઈડે મસ્જિદનાં સંરક્ષણને લઈને ભારત તરફથી મદદ આપવાનું એલાન કર્યું છે. આ મસ્જિદ કિંમતી કોરલ પથ્થરોથી બનેલી છે. શનિવારે માલદીવ સંસદને સંબોધતા મોદીએ કહ્યું કે ભારત અને માલદીવનો સંબંધ ઐતિહાસિક છે. આથી માલદીવની ફ્રાઈડે મસ્જિદનાં સંરક્ષણની જવાબદારી ઉઠાવશે તો માલદીવનાં રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલેહે પણ ભારતની આ મદદનો સ્વીકાર કર્યો છે. ભારતીય પુરાતત્વવિદો દ્વારા ફ્રાઈડે મસ્જિદનાં સંરક્ષણને તેમણે આવકાર્યું છે.
પ્રધાનમંત્રી મોદી જે મસ્જિદનાં સંરક્ષણ માટે માલદીવને મદદ કરી રહ્યાં છે. તે ફ્રાઈડે મસ્જિદ કોરલ પથ્થરોથી બનેલી છે. મસ્જિદ હુકુરુ મિસ્કી નામે પણ ઓળખાય છે. મસ્જિદ 1658માં નિર્માણ પામી હતી. મસ્જિદ માલદીવનાં કાફુ એટોલ શહેરમાં આવેલી છે. મસ્જિદમાં દરિયાઈ સંસ્કૃતિ અને વાસ્તુકલાનો અદભુત સમન્વય જોવાં મળે છે. 2008માં ફ્રાઈડે મોસ્કનો સમાવશે વર્લ્ડ હેરિટેજની પ્રાથમિક યાદીમાં સમાવેશ થયો હતો. મસ્જિદમાં 10 હજાર 700 લોકોથી વધુ એકસાથે નમાઝ પઢી શકે છે.
માલદીવનાં વર્ષોથી ભારત સાથે સારા સંબંધો હતાં જ. પરંતુ છેલ્લાં કેટલાંક વખતથી ચીનનો પણ માલદીવ પર ડોળો હતો. ત્યારે ભારતે ફરી ચીન માલદીવમાં ઘૂસણખોરી ન કરે અને ભારત સાથેનાં માલદીવનાં સંબંધો એવા ને એવા રહે તે હેતુથી એક નવી શરૂઆત કરી છે. જેનાં ભાગરૂપે ભારતે માલદીવની ઐતિહાસિક મસ્જિદનો રખરખાવ કરવાની જવાબદારી ભારતે જ ઉપાડી લીધી છે. આમ, મોદીએ માલદીવ સાથે નવાયુગનો આરંભ કરી દીધો છે.