મેસેજીંગ એપ વોટ્સએપના અભિજીત બોઝે આજે વોટ્સએપ ઈન્ડિયાના વડા પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ રાજીનામું આપી દીધું છે.
મેટા ઈન્ડિયાના પબ્લિક પોલીસી ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ રાજીનામું આપ્યું
હાલ કંપની દ્વારા શિવનાથ ઠુકરાલને વોટ્સએપ ઈન્ડિયા ડાયરેક્ટર તરીકે કર્યા નિયુક્ત
મેસેજિંગ એપ વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોઝ અને મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બંને કર્મચારીઓએ રાજીનામા આપ્યા બાદ શિવનાથ ઠુકરાલને વોટ્સએપ ઈન્ડિયા સહિત મેટાના તમામ પ્લેટફોર્મના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વોટ્સએપ ઈન્ડિયાના જાહેર નીતિ વિભાગના વડા હતા. હાલમાં જ વોટ્સએપ અને ફેસબુકની પેમેન્ટ કંપની મેટાએ તાજેતરમાં જ તેના 11,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ઇન્ડિયાના ભારતના વડા અજીત મોહને આ મહિનાની શરૂઆતમાં તેમના રાજીનામાની જાહેરાત કરી હતી.
વોટ્સએપના વડાએ આ વાત કહી
અભિજિત બોઝના રાજીનામાની માહિતી આપતા, વોટ્સએપ હેડ વિલ કેથકાર્ટે કહ્યું કે હું વોટ્સએપ વતી અભિજીત બોઝનો આભાર માનું છું. તેમણે વોટ્સએપ ઈન્ડિયાના પ્રથમ વડા તરીકે ઉત્તમ સેવાઓ આપી છે. તેમણે અમારી સેવાઓને લોકો સુધી વધુ સારી રીતે સુલભ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
રાજીવ અગ્રવાલે રાજીનામું કેમ આપ્યું?
અભિજિત બોઝના રાજીનામા બાદ તેમની શું યોજનાઓ આગળ વધી રહી છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી, પરંતુ મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર રાજીવ અગ્રવાલ વિશે કંપનીએ જણાવ્યું કે તેમણે વધુ સારી તકની શોધમાં રાજીનામું આપ્યું છે. આ સાથે વોટ્સએપ ઈન્ડિયાએ બંનેને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.