ભારત અને પાકિસ્તાન વચ્ચે આઆજે મેચ થશે. ભારત હવે 3 મેચ જીતીને એશિયા કપ ફાઇનલમા જગ્યા બનાવી શકે છે.
4 સપ્ટેમ્બરનાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચ મેચ
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમા રમાશે મેચ
ભારત ત્રણ મેચ જીતીને ફાઇનલમા પહોંચી જશે
4 સપ્ટેમ્બરનાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચ મેચ
એશિયા કપ 2022મા સુપર 4 સ્ટેજનાં મુકાબલાની શરૂઆત થઈ ચૂકી છે. આજે એટલે કે 4 સપ્ટેમ્બરનાં રોજ ભારતીય ટીમનો સામનો પાકિસ્તાનની ટીમ સાથે થશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમા થનાર આ મેચ પર કરોડો ક્રિકેટ ફેન્સની નજર રહેશે. આ બ્લોકબસ્ટર મુકાબલામા ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્મા કરશે. જ્યારે બાબર આઝમ પાકિસ્તાનની ટીમનાં કેપ્ટન છે.
3 મેચ જીતવા પર ફાઇનલમા જગ્યા પાક્કી
ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચ જીતીને સુપર 4 સ્ટેજમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા માંગશે. આમ તો સુપર 4મા ટીમ ઈન્ડિયા માટે ત્રણેય મુકાબલાઓ ખૂબ જ જરૂરી રહેશે. જો ભારતને એશિયા કપનાં ફાઇનલમા સરળતાથી જગ્યા બનાવવી છે,તો ભારતે ત્રણેય મેચમા જીત મેળવવી પડશે. આમ તો બે મેચ જીતીને પણ ભારત ફાઇનલમા પહોંચી શકે છે, પણ તેના માટે તેણે બાકી નેટ રન રેટ પર નિર્ભર રહેવું પડશે.
તમે આ ઉદાહરણનાં માધ્યમથી સમજી શકશો. માની લો ભારતે સુપર 4મા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને માત આપી દીધી, પણ શ્રીલંકા સાને હારનો સામનો કરવો પડ્યો. ત્યાં શ્રીલંકાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો અને સાથે જ પાકિસ્તાને અફઘાનિસ્તાનને પણ પરાજિત કર્યું, આવી સ્થિતિમા ત્રણેય ટીમનાં અંક બરાબર થઈ જશે જ્યાર બાદ નેટ રન રેટનાં માધ્યમથી ફાઇનલની ટીમનો નિર્ણય કરવામાં આવશે.