અગ્નિ-1 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું છે. આ મામલે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણએ માહિતી આપી હતી.
મિસાઈલ અગ્નિ-1 નું સફળતાપૂર્વક લોન્ચ
ઓડિસ્સાના એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી લોન્ચ કરાઈ
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણએ આપી માહિતી
ભારતે અંતરીક્ષક ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી છે. આજે ઓડિસ્સાના એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી મધ્યમ મંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1 નું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મામલે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણએ સત્તાવાર રીતે માહિતી આપી હતી.
India carries out successful training launch of Medium-Range Ballistic Missile, Agni-1 from APJ Abdul Kalam Island in Odisha. The missile is capable of striking targets with a very high degree of precision. The training launch successfully validated all operational & technical… pic.twitter.com/7bDEgL7BUa
એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી અગ્નિ એકનું સફળ પરીક્ષણ કરાયા બાદ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મિસાઈલ ખૂબ જ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહે છે. તેઓએ કહ્યું કે લોન્ચ કરતી વહેલા એ મિસાઈલના તમામ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 1, 2023
3,500 કિમીની રેન્જ
બે દાયકાથી ભારત વિવિધ બેલેસ્ટિક મિસાઇલો, ચોકસાઇ-માર્ગદર્શિત શસ્ત્રો અને સંબંધિત 'પ્લેટફોર્મ' વિકસાવીને તેની વ્યૂહાત્મક ક્ષમતાને વધારવા પર વધુ ધ્યાન આપી રહ્યું છે. 'અગ્નિ' શ્રેણીની મિસાઈલોના વિવિધ પ્રકારો વિકસાવ્યા છે. ગયા ડિસેમ્બરમાં, ભારતે અગ્નિ-5, પરમાણુ-સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. જે 5,000 કિમી દૂર સુધીના દૂશ્મન નિશાનને ભેદી શકે છે. અગ્નિ 1 થી 4 મિસાઈલ 700 કિમીથી 3,500 કિમીની રેન્જ ધરાવે છે અને તે પહેલાથી જ તૈનાત કરવામાં આવે છે.