આરએસએસના સિનિયર નેતા દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે ભારતમાં ફક્ત એક જ ડીએનએ છે અને તે હિંદુ છે.
સંઘના વરિષ્ઠ નેતા સુનિલ આંબેકરના પુસ્તકનું વિમોચન
યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ રહ્યાં હાજર
સંઘના કાર્યકરોને ગણાવ્યાં સેવાના સહાધ્યાયીઓ
સંઘમાં હિંદુ રાષ્ટ્ર પ્રચારક છે. હિંદુત્વની એક ઓળખ છે અને જેઓ પોતાની જાતે ધર્મનિરપેક્ષ બની બેઠા છે તેઓ તેને કોમી તરીકે પ્રચારિત કરી રહ્યાં છે જોકે હકીકત એ છે કે તે વિવિધતાસભર વિચાર છે. આરએસએસ હિંદુત્વ પર જે કંઈ બોલે છે તેને સારી રીતે સમજી લેવાની જરુર છે.
સંઘના વરિષ્ઠ નેતા સુનિલ આંબેકર દ્વારા લખાયેલા પુસ્તકના વિમોચન પ્રસંગે બોલતા હોસબોલેએ જણાવ્યું કે 100 વર્ષ પહેલા હિંદુ શબ્દને વ્યાપક સંદર્ભમાં સમજાવાયો હતો. દેશની લાંબી પરંપરાને ન સમજી શકનાર લોકોએ તેને કોમી બનાવી દીધો. તેમણે કહ્યું કે કેટલા જણાવી રહ્યાં છે કે અમે હિંદુ નથી પરંતુ ભારતીય છીએ. કેટલાક રાજકીય કારણોસર તેને ટાળી રહ્યાં છે. તે તો તેમનો વિચાર છે પરંતુ નામ મહત્વના છે. તમે મેડોનાનું ચિત્ર લઈને તેની પર કોઈનું નામ ન ચીપકાવી શકો.
અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાથી શહેરના ઈતિહાસનું પ્રતિબિંબ જોવા મળે છે. કેટલાક લોકો કહી રહ્યાં છે કે જો ભારત હિંદુ રાષ્ટ્ર બનશે તો એવા લોકોનું શું થશે કે જેઓ હિંદુ અને રાષ્ટ્ર શબ્દ સમજી શકતા નથી. જો તમે અયોધ્યાયને હોનુલુલુ કહો તે બરાબર નથી.
બુક વિમોચન પ્રસંગે યુપીના સીએમ યોગી આદિત્યાનાથ પણ હાજર રહ્યાં હતા. યોગી આદિત્યનાથે કહ્યું કે જો આરએસએસને સમજવા માગતા હોઈએ તો સૌથી પહેલા તેની સેવાના અભિગમને સમજવો પડશે. કોઈ પણ હોનારત કે કુદરતી આપદ્દા વેળાએ સૌથી પહેલા આરએસએસના કાર્યકરો મદદે દોડી જતા હોય છે.