વિશ્વ આરોગ્ય સંગઠને ભારતમાં કોરોનાથી 47 મિલિયન લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે.
વિશ્વ આરોગ્ય સંગઠનનો દાવો
ભારતમાં કોરોનાથી થયા 47 મિલિયન લોકોના મોત
ભારતમાં WHOના આંકડા માનવાનો કર્યો ઈન્કાર
કોરોના મોતના ભારતે તાજેતરમાં જે આંકડા જાહેર કર્યાં છે તેની સાથે WHO સંમત નથી.WHOનું કહેવું છે કે ભારતમાં 1 જાન્યુઆરી 2020 થી 31 ડિસેમ્બર 2021 ની વચ્ચે, 47 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. WHO ડિરેક્ટરે કહ્યું, આ આંકડો માત્ર રોગચાળાની અસરને જ સમજાવતો નથી, પરંતુ દેશોએ તેમની આરોગ્ય પ્રણાલીને સુધારવા માટે તેમાંથી શીખવું જોઈએ. માત્ર સારી સ્વાસ્થ્ય સુવિધાઓ જ સંકટના સમયમાં માનવતાનું રક્ષણ કરી શકે છે. જે સમયગાળામાં ડબ્લ્યુએચઓએ 47 લાખ મૃત્યુનું મૂલ્યાંકન કર્યું છે, તે સમયગાળામાં, સરકારી આંકડાઓ ફક્ત 5.2 લાખ મૃત્યુનો દાવો કરે છે.
WHO estimates 14.9 million excess COVID associated deaths in 2020, 2021
દુનિયામાં કોરોનાથી દોઢ કરોડ લોકોના મોત થયા
WHOએ કહ્યું કે દુનિયામાં કોરોનાથી દોઢ કરોડ લોકોના મોત થયા છે અને ભારતનો આંકડો દુનિયાના મોતના ત્રીજા ભાગનો છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે વિશ્વભરમાં મૃત્યુની સચોટ ગણતરી કરવામાં આવી નથી. ભારતે જે ગણતરી કરવામાં આવી છે તેના કરતા લગભગ 10 ગણા વધુ લોકોને મારી નાખ્યા છે.
કડક લોકડાઉન હતું ત્યારે ભારતમાં મોતની સંખ્યામાં ઘટાડો થયો હતો
ડબ્લ્યુએચઓના આંકડા દર્શાવે છે કે ઓગસ્ટ 2020 સુધીમાં જ્યારે કડક લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે મૃત્યુમાં ઘટાડો થઈ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન 62,000 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સપ્ટેમ્બર મહિનાથી મોતનો આંકડો ઝડપથી વધવા લાગ્યો અને ઘણા રાજ્યોમાં કોરોનાની પહેલી લહેરે હાહાકાર મચાવ્યો હતો. એપ્રિલ, મે અને જૂનમાં આ લહેર ટોચ પર પહોંચી હતી અને ત્યાં સુધીમાં 27 લાખ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
ભારતે WHOના આંકડા માનવાનો કર્યો ઈન્કાર
કોરોના મોતની ગણતરી કરવા માટેના WHOના ગણિતિય મોડલને માનવાનો ભારતે ઈન્કાર કર્યો છે. ભારતનું કહેવું છે WHOના આંકડા વાસ્તવિકતાથી ઘણા દૂર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં જન્મ અને મોતની નોંધણી માટેની મજબૂત અને તંદુરસ્ત સિસ્ટમ છે. અને તેથી WHOના ડેટા ખોટા અને વૈજ્ઞાનિક રીતે સંદેહપૂર્ણ છે.
ભારતે પાંચ લાખ લોકોના મોતનો આંકડો જાહેર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે ભારતે કોરોનાથી 5 લાખ લોકોના મોતનો આંકડો જાહેર કર્યો હતો પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠનનો દાવો છે કે 47 લાખ લોકોના મોત થયા છે.