ભારતે તાલિબાનની સાથે વાતચીત કરી છે. વાતચીત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલના દિશા નિર્દેશમાં આગળ વધી રહી છે.
ભારતે તાલિબાનની સાથે વાતચીત કરી
અજિત ડોવાલના દિશા નિર્દેશમાં આગળ વધી રહી છે
અફઘાનિસ્તાનને લઈને ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ
ભારતે તાલિબાનની સાથે વાતચીત કરી
અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ પર ભારતની નજર છે. મનાઈ રહ્યું છે કે ભારતે તાલિબાનની સાથે વાતચીત કરી છે. કતારના વિશેષદૂત મુજબ ભારતીય અધિકારીઓએ તાલિબાનના નેતાઓ સાથે મુલાકાત માટે દોહાનો પ્રવાસ કર્યો છે. કતારના આતંકનિરોધી અને મધ્યસ્થતાની ભૂમિકા ભજવનાર વિશેષ દૂત મુતલાક બિન મજીદ અલ કહતાનીએ વેબ કોન્ફરન્સિંગમાં કહ્યું કે ભારતીય અધિકારીઓએ દોહામાં તાલિબાની પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરી.
તાલિબાન સાથે વાતચીત કેમ
મુતલાક બિન મજીદ અલ કહતાનીએ કહ્યું કે ભારત તરફથી તાલિબાનીની સાથે વાતચીત એટલા માટે નથી કરવામાં આવી રહી કે અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન આવી જશે. હા એટલું જરુર છે કે ભવિષ્યમાં તાલિબાનની અફઘાનમાં મહત્વની ભૂમિકા રહેશે. એજ કારણ છે કે દરેક પક્ષ વાતચીત માટે તૈયાર જણાઈ રહ્યો છે. મુતલાક બિન મજીદ અલ કહતાનીએ કહ્યું કે મારું જ્યાં સુધી માનવું છે કે ભારતીય અધિકારીઓની તાલિબાની પ્રતિનિધિયો સાથેની વાતચીત ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આવનારા સમયમાં તાલિબાન અફઘાનિસ્તાનના નીતિ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવશે. મારી તમામ પક્ષોને અપીલ છે કે સમગ્ર મામલાનો કોઈ હલ નિકળે.
અજિત ડોવાલની નજર
એવું મનાઈ રહ્યું છે કે ભારતીય અધિકારીઓ સાથેની વાતચીતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલના દિશા નિર્દેશમાં આગળ વધી રહી છે. જો કે સરકાર તરફથી આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. તાલિબાન તરફથી પણ આ વાતચીત અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. ભારત તરફથી અફઘાનિસ્તાનની સરકાર સાથે વાતચીતની પ્રાથમિકતા છે પરંતુ ગ્રાઉન્ડ પર કોઈ ફેરફાર થાય છે તો આને ધ્યાનમાં રાખીને તાલિબાની સાથે પણ વાતચીત થઈ રહી છે.
અફઘાનિસ્તાનને લઈને ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વાતચીતને લઈને પુછવામાં આવેલા એક સવાલના સંબંધમાં કહ્યું કે અફઘાનિસ્તાનને લઈને ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. અફઘાનિસ્તાનના વિકાસમાં ભારત તરફથી વધારે સહયોગ જારી રહેશે. અફઘાનિસ્તાનના લાકોની પાછળ કાર્યોના આધાર પર પોતાનો સહયોગીઓની બરાબર નજર છે કે કોઈ પ્રકારે તેના કાર્યોને અફઘાન લોકોને પ્રભાવિત કર્યા.
વિદેશ મંત્રીએ પણ કતારનો કર્યો પ્રવાસ
વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કતારના વિદેશ તથા રક્ષા મંત્રીઓ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી અને વૈશ્ચિવ ક્ષેત્રીય મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કર્યુ. આ એક અઠવાડિયાની અંદર વિદેશ મંત્રીના ખાડી દેશોનો બીજી વાર પ્રવાસ છે. કતાર અફઘાનિસ્તાન શાંતિ વાર્તા પ્રક્રિયામાં શામેલ છે અને આ મુદ્દા પર ચર્ચા પણ થઈ છે.