પાકિસ્તાનના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને પત્ર લખીને ભારત સાથે ફરીવાર શાંતિની વાત આગળ ધપાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ આ માટે તેણે ન્યૂયોર્કમાં મળનારી યુએનની મહાસભાના મંચ પર પહોચવા સુધી રાહ જોવાની વાત કરી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રી નરેદ્ર મોદી પત્ર લખીને ફરી એકવાર શાંતિવાર્તા આગળ ધપાવવાની ઈચ્છા જાહેર કરી છે. જોકે પાકિસ્તાન સરકારે પ્રસ્તાવ રાખ્યો છે કે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના આયોજન દરમિયાન ભારત-પાકિસ્તાનના વિદેશમંત્રીઓ વચ્ચે વાતચીત થાય.
પત્રમાં ઈમરાન ખાને લખ્યું છે કે હું ભારતના પ્રધાનમંત્રી નરેદ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલા શુભેચ્છા સંદેશ માટે આભાર વ્યક્ત કરું છું. આતંકવાદ પર વાતચીત કરવા માટે પાકિસ્તાન હજુ પણ તૈયાર છે. વ્યાપાર પરસ્પર નાગરિકો વચ્ચે સંપર્ક ધાર્મિકયાત્રા અને અને માનવતા ભર્યા એવા અનેક મુદ્દા જેના પર ચર્ચા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ભારત અને પાકિસ્તાન બન્ને દેશો શાંતિની અપેક્ષા રાખે છે અને આ માટે હું વિદેશમંત્રી સ્તરની વાતચીતનો પ્રસ્તાવ રાખું છું.
જોકે ભારતે પાકિસ્તાનના આ પ્રસ્તાવ પર બન્ને દેશો વચ્ચે વિદેશમંત્રી સ્તરની મીટિંગ માટે સહમતિ વ્યક્ત કરી છે. આ મુલાકાત આવતા મહિને ન્યુયોર્ક ખાતે યૂએનની જનરલ મહાસભામાં થશે. જોકે વિદેશ મંત્રાલયે એ સ્પષ્ટ કર્યુ છે કે આ મીટિંગનો મતલબ એ નથી કે પાકિસ્તાન તરફે અમારી નીતિમાં કોઈ બદલાવ આવ્યો હોય અને આ મીટિંગને સંવાદની શરૂઆત તરીકે પણ ઓળખાવી શકાય નહીં. આ મામલાને લઈને ભારતનું વલણ એ જ છે કે આતંક અને વાતચીત સાથે સાથે નથી થઈ શકતી. ભાજપના દિગ્ગજ નેતાઓ માને છે કે પ્રેમપત્ર અને આંતક સાથે સાથે ચાલી શકે નહી.
તો આ તરફ જમ્મૂ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી કવિન્દર ગુપ્તા પણ પાકિસ્તાનની આ પહેલને શંકાની નજરે જોઈ રહ્યા છે. તેઓનું માનવું છે કે ભૂતકાળના અનુભવ પરથી પાકિસ્તાન પર વિશ્વાસ પેદા શકવો અઘરી વાત છે.
જોકે હાલ ભારતે મુલાકાત માટે સહમતિ દર્શાવી છે પરંતુ મીટિંગનો કોઈ એજન્ડા તૈયાર કર્યો નથી. જોકે શાંતિની વાર્તાને આગળ કયા મુકામ પર પહોંચાડવી તે ભારત કરતાં પાકિસ્તનાને વધારે વિચારવાની જરૂર છે.